VIDEO: ટાટા સન્સમાં કાર્યકારી ચેરમેન તરીકે એન. ચંદ્રશેખરનો કાર્યકાળ 5 વર્ષ વધારાયો
ટાટા ગ્રુપની હોલ્ડિંગ કંપની ટાટા સન્સના બોર્ડે એન. ચંદ્રશેખરનના કાર્યકારી ચેરમેન તરીકેનો તેમનો કાર્યકાળ 5 વર્ષ લંબાવવાની મંજૂરી આપી દીધી છે. જોકે, ટાટા ટ્રસ્ટ્સના અધ્યક્ષ નોએલ ટાટાએ આ દરખાસ્તનો વિરોધ કર્યો હતો. આ સાથે બોર્ડે ટાટા સન્સને શેરબજારમાં લિસ્ટ કરવાની પ્રક્રિયા શરૂ કરવાનો પણ નિર્ણય લીધો છે. ગયા અઠવાડિયે ભારતીય રિઝર્વ બેંકએ ટાટા સન્સની મુખ્ય રોકાણ કંપની તરીકે NBFC રજીસ્ટ્રેશન સરેન્ડર કરવાની અરજી ફગાવી દીધી હતી. આ પછી, નિયામક જોગવાઈઓ હેઠળ ટાટા સન્સ માટે શેરબજારમાં લિસ્ટ થવું ફરજિયાત બની ગયું હતું. હવે આ બંને પ્રસ્તાવોને ટાટા સન્સની વાર્ષિક સામાન્ય સભામાં મંજૂરી મળવાની બાકી છે. ટાટા ટ્રસ્ટ્સ પાસે કંપનીમાં લગભગ 66 ટકા હિસ્સેદારી છે, તેથી AGM માં તેમનો મત નિર્ણાયક રહેશે. ટાટા ટ્રસ્ટ્સના નામાંકિત ડિરેક્ટર વેણુ શ્રીનિવાસન અને નોએલ ટાટા, ટાટા સન્સના બોર્ડમાં સામેલ છે. ઉલ્લેખનીય છે કે વેણુ શ્રીનિવાસને ચંદ્રશેખરનની પુનઃનિયુક્તિ અને કંપનીના લિસ્ટિંગ બંનેનું સમર્થન કર્યું હતું, જ્યારે નોએલ ટાટાએ વિરોધ દર્શાવ્યો હતો.

