Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : Religion: Do these simple remedies for financial progress, debt relief and happiness on Guru Purnima

Religion: ગુરુ પૂર્ણિમાએ આર્થિક પ્રગતિ, દેવામુક્તિ અને સુખ-સમૃદ્ધિ માટે કરો આ સરળ ઉપાયો

Timeછેલ્લું અપડેટ : 29 Jul 2026
લાઇવ ટીવીGoogle News
Religion: ગુરુ પૂર્ણિમાએ આર્થિક પ્રગતિ, દેવામુક્તિ અને સુખ-સમૃદ્ધિ માટે કરો આ સરળ ઉપાયો
સોર્સ : gstv

અષાઢ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમા 'ગુરુ પૂર્ણિમા' તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ આપણા તમામ ગુરુઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો અને તેમનું પૂજન કરવાનો છે. શાસ્ત્રોમાં ગુરુને ઈશ્વર કરતાં પણ ઉચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે.

App Store

એવું માનવામાં આવે છે કે ગુરુ પૂર્ણિમા પછીના ચાર મહિના (ચાતુર્માસ) અભ્યાસ અને સાધના માટે અત્યંત અનુકૂળ રહે છે. તેથી, આ પવિત્ર દિવસે ગુરુજનોના આશીર્વાદ મેળવો અને યથાશક્તિ દક્ષિણ કે ભેટ અર્પણ કરો.

આ ઉપરાંત, શાસ્ત્રો અનુસાર ગુરુ પૂર્ણિમાના દિવસે કરવામાં આવતા કેટલાક ખાસ ઉપાયોથી જીવનના અનેક કષ્ટ દૂર થાય છે. ચાલો જાણીએ આ અસરકારક ઉપાયો વિશે:

સંપત્તિ અને તિજોરીમાં વૃદ્ધિ માટે

૧૧ કોડીઓ લો, તેના પર હળદરનું તિલક લગાવીને માતા લક્ષ્મીના ચરણોમાં અર્પણ કરો. બીજા દિવસે સવારે આ કોડીઓને લાલ કપડામાં બાંધીને તમારી તિજોરી કે લોકરમાં રાખી દો.

નોંધ: આ પછી દરેક પૂર્ણિમાએ આ કોડીઓ બહાર કાઢી, દેવી લક્ષ્મી સમક્ષ મૂકી હળદરનું તિલક કરવું અને ફરી લાલ કપડામાં બાંધી તિજોરીમાં મૂકી દેવી. આ ઉપાયથી ક્યારેય નાણાકીય અછત સર્જાતી નથી.

 વ્યવસાયમાં સફળતા અને વૃદ્ધિ માટે

ભગવાન વિષ્ણુને ચંદનનું તિલક લગાવો અને તેમની સમક્ષ ચંદનની સુગંધિત અગરબત્તી પ્રગટાવીને વેપારમાં વૃદ્ધિ માટે પ્રાર્થના કરો. આ સિવાય, એક કાચું નારિયેળ લઈ તેના પર હળદરથી 'શ્રી' લખીને વિષ્ણુ મંદિરમાં દાન કરવાથી પણ વ્યવસાય પ્રગતિની નવી ઊંચાઈઓ સ્પર્શે છે.

 દેવામુક્તિ (ઋણમાંથી રાહત) માટે

સાંજના સમયે તમારા ઘરના મંદિરમાં ઘીનો દીવો પ્રગટાવો અને ભગવાન શ્રી નારાયણના મંત્રનો ૧૧ વાર શ્રદ્ધાપૂર્વક જાપ કરો.

મંત્ર: ઓમ નમો ભગવતે વાસુદેવાય (અથવા ઓમ નમો ભગવતે નારાયણાય).

આ ઉપાયથી ટૂંક સમયમાં દેવામાંથી મુક્તિ મેળવવાના માર્ગો ખૂલે છે.

આર્થિક સ્થિતિ મજબૂત કરવા માટે

એક સ્વચ્છ, નવું પીળું કપડું લઈ તેમાં થોડા અક્ષત (ચોખા) મૂકીને પોટલી બનાવી લો. આ પોટલી ભગવાન વિષ્ણુના ચરણોમાં અર્પણ કર્યા બાદ મંદિરમાં દાન કરી દો. આનાથી ધનનો પ્રવાહ વધશે અને આર્થિક સ્થિતિ સુધરશે.

પરસ્પર પ્રેમ અને પરિવારનો સહયોગ મેળવવા

સ્નાન કર્યા પછી તુલસીના છોડમાં જળ અર્પણ કરો અને ભગવાન સત્યનારાયણનું ધ્યાન ધરો. ત્યારબાદ તુલસીના ક્યારામાંથી થોડી ભીની માટી લઈ પરિવારના તમામ સભ્યોના કપાાળ પર તિલક કરો. આનાથી પરિવારમાં એકતા અને પ્રેમ જળવાઈ રહેશે.

 ઘરમાં સુખ-સમૃદ્ધિ માટે

સ્નાન કર્યા બાદ કંકુ (રોલી)માં ઘીના થોડા ટીપાં ઉમેરીને મિશ્રણ તૈયાર કરો. આ કંકુ-ઘી વડે તમારા ઘરના પૂજાઘરની બંને બાજુ (ડાબી અને જમણી તરફ) સ્વસ્તિક (સાથિયો) બનાવો. આ ઉપાય ઘરમાં સકારાત્મક ઉર્જા અને સુખ-સમૃદ્ધિ લાવે છે.

વ્યાપારિક યાત્રામાં લાભ માટે

કેસરની એક નાની ડબ્બી ભગવાન વિષ્ણુના ચરણોમાં સ્પર્શ કરાવીને તમારી પાસે રાખો. જ્યારે પણ બિઝનેસ સંબંધિત પ્રવાસ કે કામ માટે જાઓ, ત્યારે કપાળ પર કેસરનું તિલક લગાવીને જાઓ. (જો કેસર શક્ય ન હોય તો આખી હળદરની ગાંઠનો પણ ઉપયોગ કરી શકાય છે). આનાથી વ્યવસાયિક પ્રવાસ સફળ રહેશે અને નાણાકીય લાભ થશે.

નોંધ:-   આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.