Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : Powerful mantra of Goddess Lakshmi

ચુંબકની જેમ ધનને ખેંચી લાવશે લક્ષ્મીજીનો આ મંત્ર, જાણી લો જાપ કરવાની સાચી રીત

Timeછેલ્લું અપડેટ : 19 Jun 2026
લાઇવ ટીવીGoogle News
ચુંબકની જેમ ધનને ખેંચી લાવશે લક્ષ્મીજીનો આ મંત્ર, જાણી લો જાપ કરવાની સાચી રીત
સોર્સ : GSTV
Laxmi Mantra: હિંદુ ધર્મમાં માતા લક્ષ્મીને ધન, સૌભાગ્ય, સમૃદ્ધિ અને વૈભવના દેવી માનવામાં આવે છે. એવું કહેવાય છે કે વ્યક્તિ પોતાના જીવનમાં તમામ સુખ-સુવિધાઓ માતા લક્ષ્મીની કૃપાથી જ મેળવે છે. આ જ કારણે લોકો ધનના દેવીને પ્રસન્ન કરવા માટે તમામ ઉપાયો કરે છે. કોઈ શુક્રવારના વ્રત રાખે છે, તો કોઈ માતાના મંત્રો અને ચાલીસાનો પાઠ કરે છે. પરંતુ ધર્મશાસ્ત્રોમાં ધનના દેવીની કૃપા મેળવવાનો એક ખૂબ જ સરળ ઉપાય જણાવવામાં આવ્યો છે. તે ઉપાય છે માતાના 'ૐ શ્રીં મહાલક્ષ્મ્યૈ નમઃ' (ॐ श्रीं महालक्ष्म्यै नमः) મંત્રનો જાપ. એવું માનવામાં આવે છે કે માતાના આ મંત્રનો સાચા મનથી જાપ કરવાથી જીવનમાં ક્યારેય ધન-ધાન્યની અછત વર્તાતી નથી.
App Store
 

માતા લક્ષ્મીનો શક્તિશાળી મંત્ર

 
'ૐ શ્રીં મહાલક્ષ્મ્યૈ નમઃ' એ માતા લક્ષ્મીનો બીજ મંત્ર કહેવાય છે. કહેવાય છે કે આ મંત્રનો જાપ કરવાથી આસપાસ સકારાત્મક ઉર્જાનો સંચાર થવા લાગે છે. જે રીતે એક નાના બીજમાં એક મોટું વૃક્ષ બનવાની ક્ષમતા રહેલી હોય છે, ઠીક તેવી જ રીતે આ બીજ મંત્રમાં પણ અપાર ઉર્જા સમાયેલી હોય છે.
 
'ૐ શ્રીં મહાલક્ષ્મ્યૈ નમઃ' મંત્રનો અર્થ
 
આ મંત્રનો અર્થ છે- હે મહાલક્ષ્મી, અમે તમને નમન કરીએ છીએ અને તમારી પાસે સમૃદ્ધિની પ્રાર્થના કરીએ છીએ.
 
આ મંત્રમાં રહેલા દરેક શબ્દનું પોતાનું એક વિશેષ મહત્વ માનવામાં આવ્યું છે, જે નીચે મુજબ છે:
 
ૐ : ૐ એ બધા મંત્રોનું મૂળ છે અને પરમાત્માની શક્તિનું પ્રતીક છે, જે ત્રણ અક્ષરો 'અ', 'ઉ', 'મ' થી મળીને બન્યો છે. કહેવાય છે કે ૐ ના માત્ર ઉચ્ચારણથી જ વાતાવરણ પવિત્ર થઈ જાય છે.
 
શ્રીં : શ્રીં-ને 'લક્ષ્મી બીજ' કહેવામાં આવે છે, જે ખૂબ જ શક્તિશાળી બીજ મંત્ર છે. તે સમૃદ્ધિ, વૈભવ અને શુભતાને આકર્ષિત કરે છે.
 
મહાલક્ષ્મ્યૈ : મહાલક્ષ્મીનો અર્થ છે - તમામ ઐશ્વર્યથી યુક્ત દેવી. જેમાં 'મહા' નો અર્થ મહાન અને 'લક્ષ્મી' નો અર્થ ધન-સમૃદ્ધિ થાય છે.
 
નમઃ આ શબ્દ સમર્પણ અને નમ્રતાની ભાવના વ્યક્ત કરે છે. આ શબ્દના ઉચ્ચારણથી સાધક પોતાના અહંકારનો ત્યાગ કરીને દેવીના ચરણોમાં પોતાને સમર્પિત કરે છે.
 

ધનને આકર્ષિત કરતો મંત્ર

 
ધાર્મિક માન્યતાઓ અનુસાર આ મંત્ર ધનને આકર્ષિત કરે છે. જે પ્રકારે એક ચુંબક લોખંડને આકર્ષે છે, ઠીક તેવી જ રીતે આ મંત્રના નિયમિત જાપથી સાધકની ચારેય તરફ એક એવી ચુંબકીય ઉર્જા બને છે જે ધનને આકર્ષિત કરવા લાગે છે. આ મંત્ર માત્ર ધનમાં જ વધારો નથી કરતો, પરંતુ આધ્યાત્મિક સમૃદ્ધિ પણ પ્રદાન કરે છે. તેના જાપથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારેય પુરુષાર્થની પ્રાપ્તિ થાય છે. આ મંત્ર સાધકના આત્મવિશ્વાસને પણ વધારે છે.
 

મંત્ર જાપની સાચી રીત

 
આમ તો આ મંત્રનો જાપ તમે દરરોજ કરી શકો છો, પરંતુ શુક્રવારનો દિવસ આ જાપ માટે સૌથી ઉત્તમ માનવામાં આવે છે. આ સિવાય દીવાળી, ધનતેરસ, પૂનમ, અમાસ અને અક્ષય તૃતીયા (અખાત્રીજ) જેવા વિશેષ તહેવારો પર આ મંત્રનો જાપ અત્યંત ફળદાયી સાબિત થાય છે.
 
આ મંત્રનો જાપ ઉત્તર કે પૂર્વ દિશા તરફ મુખ રાખીને બેસીને કરવો જોઈએ.
મંત્ર જાપ માટે કમળકાકડી (કમલગટ્ટા) અથવા સ્ફટિકની માળા સૌથી શુભ માનવામાં આવે છે.
આ મંત્રની દરરોજ ઓછામાં ઓછી ૧ માળા (૧૦૮ વાર) જાપ તો જરૂર કરવી જોઈએ.
જાપ કરતી વખતે જો લાલ કે પીળા રંગના વસ્ત્રો પહેરવામાં આવે તો તે સૌથી વધુ શુભ રહેશે.
જાપ શરૂ કરતા પહેલાં માતા લક્ષ્મીની વિધિ-વિધાન પૂર્વક પૂજા ચોક્કસ કરો.
માતાજીને ખીર અથવા મીઠાઈનો ભોગ ધરાવો.
મંત્ર જાપ પૂર્ણ થયા પછી માતા લક્ષ્મીની આરતી પણ જરૂર કરવી.

નોંધ:- આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.