Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : Know which zodiac sign is auspicious and who is careful to keep?

રક્ષાબંધને ગ્રહણનો પડછાયો: જાણો કઈ રાશિ માટે શુભ અને કોણે રાખવી સાવચેતી?

Timeછેલ્લું અપડેટ : 28 Aug 2026
લાઇવ ટીવીGoogle News
રક્ષાબંધને ગ્રહણનો પડછાયો: જાણો કઈ રાશિ માટે શુભ અને કોણે રાખવી સાવચેતી?
સોર્સ : gstv

આજે દેશભરમાં રક્ષાબંધનની ઉજવણી થઈ રહી છે ત્યારે ચંદ્રગ્રહણ પણ લાગ્યું છે. જોકે, રાહતની વાત એ છે કે આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાવાનું નથી અને તેથી તેનો સૂતક કાળ પણ અહીં માન્ય રહેશે નહીં. તેમ છતાં, જ્યોતિષીય દ્રષ્ટિકોણથી ગ્રહોની આ સ્થિતિ તમામ 12 રાશિઓના જાતકો પર આગામી 15 દિવસથી લઈને 1 મહિના સુધી પ્રભાવ પાડશે.

App Store

તમામ 12 રાશિઓ પર ચંદ્રગ્રહણની અસર અને નિવારણના ઉપાયો

મેષ રાશિ

મેષ રાશિના જાતકોએ આગામી 15 દિવસ સુધી પોતાના ખર્ચ પર વિશેષ નિયંત્રણ રાખવું પડશે. આવક અને ખર્ચ વચ્ચે યોગ્ય સંતુલન જાળવવું જરૂરી છે. આર્થિક મામલે કોઈપણ મોટું જોખમ લેવું નહીં અને કરિયર સંબંધિત નિર્ણયો ઉતાવળમાં ન લેવા. અહંકાર અને વાદ-વિવાદથી દૂર રહીને ધીરજપૂર્વક કામ કરવું.

ઉપાય: શિવ મંદિરમાં જઈને જળાભિષેક કરવો અને 108 વાર ‘ૐ નમઃ શિવાય’ મંત્રનો જાપ કરવો.

વૃષભ રાશિ

વૃષભ રાશિના જાતકોએ કાર્યક્ષેત્રમાં ધીરજ રાખવાની જરૂર છે. નોકરી કે વેપાર સંબંધિત નિર્ણયોમાં ઉતાવળ કરવાથી બચવું. નાણાકીય બાબતોમાં ખૂબ વિચારીને નિર્ણય લેવો. કોઈપણ મોટો નિર્ણય લેતાં પહેલાં પરિવારના વડીલોની સલાહ લેવી હિતાવહ રહેશે. આગામી 15 દિવસ વ્યાવસાયિક બાબતોમાં સંયમ રાખવો.

ઉપાય: ગ્રહણના પ્રભાવથી રક્ષણ મેળવવા માટે દરરોજ દુર્ગા ચાલીસાનો પાઠ કરવો.

મિથુન રાશિ

મિથુન રાશિના જાતકોએ પોતાની વાણી પર નિયંત્રણ રાખવું પડશે. નકામી વાતોમાં કિંમતી સમય ન બગાડવો અને જોખમી રોકાણથી દૂર રહેવું. પરિવારના વડીલોનું સન્માન કરવું અને પારિવારિક પરંપરાઓનું પાલન કરવું. ધાર્મિક કાર્યોમાં ભાગ લેવો શુભ રહેશે. આગામી 15 દિવસ પૂરા શિસ્ત સાથે કામ કરવું.

ઉપાય: ગ્રહણ બાદ આગામી કેટલાક દિવસો સુધી દરરોજ ભગવાન ગણેશની આરતી કરવી.

કર્ક રાશિ

કર્ક રાશિના જાતકોએ પોતાની લાગણીઓ પર કાબૂ રાખવો પડશે. નકારાત્મક વિચારો સાથે કોઈપણ મોટો નિર્ણય લેવો નહીં. હાલના તબક્કે નોકરી બદલવાનો કે છોડવાનો નિર્ણય મોકૂફ રાખવો વધુ સારો રહેશે. સ્વાસ્થ્ય બાબતે જરાય બેદરકારી ન રાખવી અને જરૂરી દવાઓ સમયસર લેવી. 15 દિવસ ધીરજથી વિતાવવા.

ઉપાય: શિવ મંદિરે જઈને જળ અને થોડું કાચું દૂધ શિવલિંગ પર અર્પણ કરવું.

સિંહ રાશિ

સિંહ રાશિના જાતકોએ આ ગ્રહણથી બહુ ચિંતિત થવાની જરૂર નથી. તેમ છતાં, આગામી 15 દિવસમાં કાર્યક્ષેત્ર સંબંધિત કોઈ મોટા નિર્ણયો લેવાનું ટાળવું. પ્રોપર્ટી કે જમીન-મકાનના સોદામાં ઉતાવળ ન કરવી. જીવનસાથી અને બિઝનેસ પાર્ટનર સાથે કોઈપણ વાદ-વિવાદથી બચવું અને તબિયત સાચવવી.

ઉપાય: દરરોજ 108 વાર ‘ૐ નમઃ શિવાય’ મંત્રનો જાપ કરવો.

કન્યા રાશિ

કન્યા રાશિના જાતકોએ આગામી 15 દિવસ સુધી માનસિક બેચેની અને તણાવથી દૂર રહેવું પડશે. આ સમયગાળામાં કોઈપણ મોટો નિર્ણય લેતા પહેલાં પરિવાર કે શુભચિંતકોનું માર્ગદર્શન લેવું. શેરબજાર, મિલકત કે અન્ય રોકાણ સંબંધિત નિર્ણયો થોડા સમય માટે ટાળવા. નોકરી બદલવામાં ઉતાવળ ન કરવી અને ખાનપાન પર ધ્યાન આપવું.

ઉપાય: શિવ મંદિરમાં ગંગાજળથી શિવલિંગનો અભિષેક કરવો.

તુલા રાશિ

તુલા રાશિના જાતકોએ આગામી 15 દિવસ પોતાના બિનજરૂરી ખર્ચ પર અંકુશ મૂકવો પડશે. પોતાની યોજનાઓને મજબૂત બનાવી આગળ વધવું અને નાની-નાની બાબતોમાં લોકો સાથે મતભેદ ન વધારવા. સંતાન અને બાળકોના અભ્યાસ પર ધ્યાન આપવું જરૂરી બનશે. ગ્રહણને લઈને વધુ પડતી ચિંતા કરવાની જરૂર નથી.

ઉપાય: દરરોજ માતા દુર્ગાની ભાવપૂર્વક આરતી કરવી.

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિના જાતકોએ આગામી 15 દિવસ પ્રોપર્ટી સંબંધિત મોટા નિર્ણયો લેવાનું ટાળવું જોઈએ. લાંબા અંતરની મુસાફરી પણ મુલતવી રાખવી વધુ હિતાવહ રહેશે. આ સમય દરમિયાન પોતાના સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવું અને કોઈપણ કામ ઉતાવળે ન કરવું. ધીરજ સાથે દિનચર્યા આગળ વધારવી.

ઉપાય: ગ્રહણની નકારાત્મક અસરથી બચવા માટે દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવો.

ધન રાશિ

ધનુ રાશિના જાતકોએ આ ગ્રહણથી ડરવાની કે ગભરાવાની કોઈ જરૂર નથી. પોતાના કામ અને પ્રોફેશન પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવું. નકારાત્મક વિચારોને મન પર હાવી ન થવા દેવા. અજાણ્યા લોકો પર વધુ પડતો ભરોસો ન મૂકવો અને સ્વાસ્થ્યની સંભાળ રાખવી. આગામી 15 દિવસ સંયમ જાળવવો.

ઉપાય: દરરોજ 108 વાર ‘ૐ નમઃ શિવાય’ મંત્રનો જાપ કરવો.

મકર રાશિ

મકર રાશિના જાતકોએ પોતાના કામ, મન અને વાણી પર વિશેષ સંયમ રાખવો પડશે. મનમાં કોઈપણ પ્રકારનો વહેમ કે શંકા ન રાખવી. શિસ્તબદ્ધ અને આયોજનપૂર્વક કામ કરવું. ઉતાવળ કરવાને બદલે શાંતિથી નિર્ણયો લેવા વધુ ફાયદાકારક સાબિત થશે. ગ્રહણને લઈને વધુ ચિંતા ન કરવી.

ઉપાય: શિવ મંદિરે જઈને ભગવાન શિવને જળ અર્પણ કરવું.

કુંભ રાશિ

આ ચંદ્રગ્રહણ કુંભ રાશિમાં જ લાગી રહ્યું હોવાથી આ રાશિના જાતકોએ સૌથી વધુ સાવધાની રાખવાની જરૂર છે. આગામી 1 મહિના સુધી કરિયર અને નાણાકીય બાબતોમાં કોઈ મોટું જોખમ ન લેવું. મિલકત ખરીદવા કે વેચવાનો નિર્ણય હાલ ટાળવો. સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું અને લાંબી મુસાફરીથી દૂર રહેવું.

ઉપાય: શિવ મંદિરમાં કાચા દૂધ અને ગંગાજળથી શિવલિંગનો અભિષેક કરવો.

મીન રાશિ

મીન રાશિના જાતકોએ આગામી 15 દિવસ સુધી પોતાના સ્વાસ્થ્ય અને ખાનપાન પર વિશેષ કાળજી રાખવી પડશે. લાંબા અંતરની યાત્રા ટાળવી અને પોતાની આવક મુજબ જ બજેટ બનાવીને ખર્ચ કરવો. વિદેશ સંબંધિત કોઈપણ કામકાજને થોડા સમય માટે મોકૂફ રાખવું યોગ્ય રહેશે. ધીરજપૂર્વક પોતાની દિનચર્યા ચલાવવી.

ઉપાય: સાંજે ભગવાન શિવની પૂજા કર્યા બાદ સફેદ વસ્તુઓનું દાન કરવું.

નોંધ: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને લોકવાયકાઓ પર આધારિત છે, જેનો ઉદ્દેશ્ય માત્ર માહિતી પહોંચાડવાનો છે. 'GSTV' આ વાતોની સત્યતા કે તર્કસંગતતાની પુષ્ટિ કરતું નથી. વાચકોએ કોઈપણ નિર્ણય લેતા પહેલા સંબંધિત વિષયના નિષ્ણાત અથવા શાસ્ત્રજ્ઞની સલાહ લેવી હિતાવહ છે.

 

ટોપિક્સ:GSTV NewsGujarati News