VIDEO: Jagannath Rath Yatra 2026; ભગવાન જગન્નાથને 9મા દિવસે કેમ ધરાવાય છે રસગુલ્લાનો ભોગ? જાણો કારણ
ઓડિશાના પુરીમાં સ્થિત ભગવાન જગન્નાથ મંદિરને સનાતન ધર્મના સૌથી પવિત્ર અને રહસ્યમય તીર્થોમાં ગણવામાં આવે છે. દર વર્ષે અષાઢ સુદ બીજથી શરૂ થનારી ભગવાન જગન્નાથની વિશ્વ પ્રસિદ્ધ રથયાત્રાને લઈને ભક્તોમાં એક અલગ જ ઉત્સાહ જોવા મળે છે. વર્ષ 2026માં આ ભવ્ય રથયાત્રા 16 જુલાઈથી શરૂ થવા જઈ રહી છે અને 24 જુલાઈએ બહુડા યાત્રા (પરત યાત્રા) સાથે સંપન્ન થશે. આ 9 દિવસના ઉત્સવના અનેક રંગો છે, પરંતુ રથયાત્રાના અંતિમ દિવસે એક ખૂબ જ અનોખી અને મીઠી પરંપરા નિભાવવામાં આવે છે. આ દિવસે ભગવાન જગન્નાથને વિશેષ રૂપે રસગુલ્લાનો ભોગ ધરવામાં આવે છે. આખરે આની પાછળ શું વાર્તા છે અને ભગવાનને મનાવવા માટે રસગુલ્લાની કેમ જરૂર પડે છે?
શું છે નીલાદ્રી બીજેની પરંપરા?
રથયાત્રા દરમિયાન ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા પોતાના માસીના ઘરે એટલે કે ગુંડિચા મંદિરે જાય છે. ત્યાં થોડા દિવસ રોકાયા બાદ બહુડા યાત્રા દ્વારા તેઓ પરત શ્રીમંદિર જાય છે. જ્યારે ભગવાન જગન્નાથ મંદિરના મુખ્ય દ્વાર પર પહોંચે છે, ત્યારે તેમના પત્ની માતા લક્ષ્મી તેમનાથી નારાજ થઈ જાય છે. એવી માન્યતા છે કે ભગવાન તેમને સાથે લીધા વિના જ ઘણા દિવસો માટે ચાલ્યા ગયા હતા, તેથી માતા લક્ષ્મી મંદિરના દ્વાર બંધ કરી દે છે અને તેમને તરત જ અંદર પ્રવેશવા દેતા નથી. આના પર ભગવાન જગન્નાથ તેમને મનાવવા માટે રસગુલ્લાનો ભોગ અર્પણ કરે છે. ત્યારબાદ માતા લક્ષ્મી પ્રસન્ન થઈને મંદિરના દ્વાર ખોલી દે છે અને ભગવાનનું ફરીથી સ્વાગત કરે છે. આ જ પરંપરાને 'નીલાદ્રી બીજે' કહેવામાં આવે છે.
9મા દિવસે જ કેમ ચઢાવવામાં આવે છે રસગુલ્લા?
રથયાત્રાની શરૂઆતથી લઈને ભગવાનના પરત શ્રીમંદિર લોટવા સુધી લગભગ નવ દિવસનો સમય પૂરો થાય છે. અંતિમ દિવસે જ્યારે ભગવાન પોતાના ધામમાં પાછા ફરે છે, ત્યારે માતા લક્ષ્મીને મનાવવા માટે રસગુલ્લાનો ભોગ લગાવાય છે. તેથી જ રથયાત્રાના નવમા દિવસે રસગુલ્લા અર્પણ કરવાની પરંપરા નિભાવવામાં આવે છે. આ માત્ર એક ધાર્મિક વિધિ નથી, પરંતુ પતિ-પત્નીના પ્રેમ, સન્માન અને સંબંધોમાં એકબીજાને મનાવવાની સુંદર પરંપરાનું પ્રતીક પણ માનવામાં આવે છે.
રસગુલ્લાની પરંપરાનું ધાર્મિક મહત્વ
માનયતા: ભગવાન જગન્નાથને રસગુલ્લાનો ભોગ અર્પણ કરવાથી ઘર-પરિવારમાં પ્રેમ, સૌહાર્દ અને ખુશાલી જળવાઈ રહે છે. ભક્તો આ દિવસે ભગવાનને રસગુલ્લાનો ભોગ લગાવીને સુખ-સમૃદ્ધિ તેમજ પરિવારના મંગળની કામના કરે છે.
ઓડિશામાં આ પ્રસંગને ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. ઘણી જગ્યાએ આ દિવસને 'રસગુલ્લા દિવસ' તરીકે પણ વિશેષ મહત્વ આપવામાં આવે છે. મંદિરો અને ઘરોમાં ભગવાનને રસગુલ્લાનો ભોગ ધરીને પ્રસાદ સ્વરૂપે વહેંચવામાં આવે છે.

