Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Mahant Dilip Dasji Maharaj was conferred the title of Jagatpati Jagadguru of the Vaishnava sect

Jagannath Rath Yatra 2025: મહંત દિલીપદાસજી મહારાજને વૈષ્ણવ સંપ્રદાયના જગતપતિ જગદગુરુની પદવી અપાઈ

Timeછેલ્લું અપડેટ : 27 Jun 2025
લાઇવ ટીવીGoogle News

જમાલપુર જગન્નાથ મંદિરના મહંત દિલીપ દાસજી મહારાજને વૈષ્ણવ સંપ્રદાયના જગતપતિ જગદગુરુની પદવી અપાઈ છે, જમાલપુર જગન્નાથ મંદિરના મહંત 1008 મહામંડલેશ્વર દિલીપ દાસજી મહારાજને અષાઢી બીજના રોજ રથયાત્રાના દિવસે તમામ સાધુ-સંતો દ્વારા વૈષ્ણવ સંપ્રદાયના જગતપતિ જગદગુરુની પદવી આપવામાં આવી છે.

App Store

 સાધુ-સંતો દ્વારા વૈષ્ણવ સંપ્રદાયના જગતપતિ જગદગુરુની પદવી આપવામાં આવી

મહંત દિલીપ દાસજી હવે મહામંડલેશ્વરની જગ્યાએ જગતગુરુ દિલીપદાસજી મહારાજ તરીકે ઓળખાશે.દેશમાં હાલ ઓડિસામાં ગોવર્ધન મઠ, ગુજરાતના દ્વારકામાં શારદા મઠ, ઉત્તરાખંડમાં જ્યોતિર્મઠ અને રામેશ્વરમમાં શ્રુંગેરી મઠમાં ચાર શંકરાચાર્યો છે.

દક્ષિણ ભારતના મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળોમાંથી એક કાંચી મઠ 

આ સિવાય કાંચીપુરમમાં કાંચી મઠ એક હિંદુ મઠ છે. જે પાંચ પંચભૂત સ્થળોમાંથી એક છે. અહીંના મઠાધિશ્વરને શંકરાચાર્ય કહેવામાં આવે છે. આ મઠને પણ આદિ ગુરુ શંકરાચાર્યએ સ્થાપિત કર્યો હતો. આજે આ મઠ દક્ષિણ ભારતના મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળોમાંથી એક છે.