Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : Ganesh Chaturthi Vastu Rules: Don't even keep these 4 things close by mistake while establishing Bappa, know scriptural ritual

ગણેશ ચતુર્થી વાસ્તુ નિયમો: બાપ્પાની સ્થાપના વખતે આ 4 વસ્તુઓ ભૂલથી પણ નજીક ન રાખવી, જાણો શાસ્ત્રોક્ત વિધિ

Timeછેલ્લું અપડેટ : 12 Sept 2026
લાઇવ ટીવીGoogle News
ગણેશ ચતુર્થી વાસ્તુ નિયમો: બાપ્પાની સ્થાપના વખતે આ 4 વસ્તુઓ ભૂલથી પણ નજીક ન રાખવી, જાણો શાસ્ત્રોક્ત વિધિ
સોર્સ : gstv

સનાતન ધર્મમાં ગણેશ ચતુર્થીનો પાવન તહેવાર અત્યંત શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવે છે. વૈદિક પંચાંગ અનુસાર, દર વર્ષે ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ ગણેશ મહોત્સવની શરૂઆત થાય છે. પૌરાણિક માન્યતા મુજબ, આ શુભ દિવસે વિઘ્નહર્તા ભગવાન ગણેશજીનો પ્રાગટ્ય દિવસ ઉજવાય છે.

App Store

ગણેશ ચતુર્થીના દિવસે શ્રદ્ધાળુઓ પોતાના ઘરમાં ગણપતિ બાપ્પાની મૂર્તિની સ્થાપના કરીને વિધિવિધાનપૂર્વક પૂજા-અર્ચના કરે છે. જોકે, વાસ્તુશાસ્ત્ર અને ધાર્મિક ગ્રંથો અનુસાર બાપ્પાની સ્થાપના દરમિયાન કેટલીક બાબતોની ખાસ સાવચેતી રાખવી અનિવાર્ય છે. સ્થાપના સ્થળ નજીક અમુક અશુભ વસ્તુઓ રાખવાથી પૂજાનું ફળ મળતું નથી.

પૂજામાં તુલસીના પાનનો ઉપયોગ સદંતર વર્જ્ય

પૌરાણિક કથા અને શ્રાપના કારણે ભગવાન ગણેશજીની પૂજામાં તુલસીના પાન અર્પણ કરવાની સખત મનાઈ છે. ગણેશ સ્થાપના દરમિયાન બાપ્પાની મૂર્તિ પાસે કે તેમના ભોગ-પ્રસાદમાં ભૂલથી પણ તુલસીના પાન ન મૂકવા. ગણેશજીને માત્ર લીલી તાજી દૂર્વા (ધરો) જ અત્યંત પ્રિય છે, તેથી પૂજામાં હંમેશાં દૂર્વા અર્પણ કરવી.

ચામડાની વસ્તુઓ દૂર રાખો

પૂજા સ્થળની પવિત્રતા જાળવવી સૌથી મહત્વનો નિયમ છે. ગણપતિ બાપ્પાની મૂર્તિની આસપાસ ચામડામાંથી બનેલી વસ્તુઓ જેવી કે બેલ્ટ, પાકીટ કે પગરખાં ન રાખવા જોઈએ. શાસ્ત્રોમાં ચામડાને અશુદ્ધ માનવામાં આવે છે. પૂજા સ્થળે આવી વસ્તુઓ રાખવાથી વાસ્તુદોષ ઉત્પન્ન થાય છે, જે ઘરમાં તણાવ અને આર્થિક મુશ્કેલીઓ લાવી શકે છે.

કચરાપેટી, સાવરણી કે ભંગાર ન હોવો જોઈએ

જ્યાં બાપ્પાની સ્થાપના કરવામાં આવે છે તે જગ્યા સંપૂર્ણપણે સ્વચ્છ હોવી જરૂરી છે. પૂજાના પંડાલ કે મૂર્તિની આસપાસ ડસ્ટબિન (કચરાપેટી), જૂની સાવરણી કે વધારાનો કચરો એકઠો થવા ન દેવો. પૂજા સ્થાન નજીક ગંદકી હોવાથી સકારાત્મક ઊર્જા અટકી જાય છે અને પરિવારની પ્રગતિમાં અવરોધો ઊભા થઈ શકે છે.

નકારાત્મક કે હિંસક ચિત્રો ન રાખવા

ગણેશજીની પ્રતિમાની પાછળ કે આસપાસ કોઈ પણ પ્રકારના યુદ્ધ, હિંસક પ્રાણીઓ, શોક કે નકારાત્મકતા દર્શાવતા ચિત્રો ન હોવા જોઈએ. આવા ચિત્રો ઘરનું વાતાવરણ અશાંત બનાવે છે. બાપ્પાની સ્થાપના હંમેશાં શાંત, પવિત્ર અને પ્રસન્નતાસભર વાતાવરણમાં જ કરવી જોઈએ.

નોંધ:-   આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.