Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : Dried basil kept in the house brings negativity, know the rules and remedies of Vastu Shastra

ઘરમાં રાખેલી સૂકી તુલસી લાવે છે નકારાત્મકતા, જાણો વાસ્તુશાસ્ત્રના નિયમો અને ઉપાયો

Timeછેલ્લું અપડેટ : 19 Jun 2026
લાઇવ ટીવીGoogle News
ઘરમાં રાખેલી સૂકી તુલસી લાવે છે નકારાત્મકતા, જાણો વાસ્તુશાસ્ત્રના નિયમો અને ઉપાયો
સોર્સ : GSTV

સનાતન ધર્મમાં તુલસીના છોડનું વિશેષ મહત્વ છે. હિન્દુ માન્યતાઓ અનુસાર, તુલસીના છોડમાં સાક્ષાત દેવી લક્ષ્મીનો વાસ હોય છે. ઘરમાં તુલસીના છોડને યોગ્ય દિશામાં લગાવવાથી જીવનમાં શુભ પરિણામો મળે છે અને સુખ-શાંતિ તેમજ સમૃદ્ધિ જળવાઈ રહે છે.

App Store

પરંતુ ઘણીવાર યોગ્ય કાળજી રાખવા છતાં પણ તુલસીનો છોડ સુકાઈ જાય છે. આવી સ્થિતિમાં મનમાં સવાલ થાય કે, "શું ઘરમાં સૂકી તુલસી રાખવી શુભ છે કે અશુભ?" ચાલો આ લેખમાં તેના વિશે વિગતવાર જાણીએ.

સૂકી તુલસી શુભ છે કે અશુભ?

વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઘરમાં રાખેલી સૂકી તુલસી નકારાત્મક ઉર્જા (Negative Energy) વધારે છે અને સકારાત્મક ઉર્જાને ઘરમાં પ્રવેશતા અટકાવે છે. સૂકી તુલસીને અત્યંત અશુભ માનવામાં આવે છે, કારણ કે તે આર્થિક તંગી અથવા પારિવારિક મુશ્કેલીઓનો સંકેત આપે છે. તેથી, ભૂલથી પણ સૂકાઈ ગયેલી તુલસીને ઘરમાં ન રાખવી જોઈએ.

જો તુલસી સુકાઈ જાય તો શું કરવું?

જો તમારા ઘરમાં તુલસીનો છોડ સુકાઈ ગયો હોય, તો તેને પૂરા આદરપૂર્વક કુંડામાંથી બહાર કાઢી લો. ત્યારબાદ આ સૂકા છોડને કોઈ પવિત્ર નદી કે તળાવમાં પ્રવાહિત (વિસર્જિત) કરી દો. જો આસપાસ નદી કે જળાશય ન હોય, તો તેને કોઈ પવિત્ર વૃક્ષની નીચે માટીમાં દાટી દો.

ખાસ નોંધ: સૂકી તુલસીને ક્યારેય કચરાપેટીમાં ન ફેંકવી જોઈએ. આવી ભૂલ કરવાથી દેવી લક્ષ્મી નારાજ થઈ શકે છે, જેનાથી જીવનમાં ગંભીર આર્થિક સંકટ આવી શકે છે.

સૂકો છોડ હટાવ્યા બાદ, કુંડામાં ગુરુવાર અથવા શુક્રવારના શુભ દિવસે નવો તુલસીનો છોડ વાવવો જોઈએ. જોકે, નવો છોડ વાવતા પહેલાં દિશાના નિયમોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.

તુલસી કઈ દિશામાં વાવવી?

વાસ્તુશાસ્ત્ર અનુસાર, તુલસીનો છોડ લગાવવા માટે ઉત્તર કે પૂર્વ દિશા સૌથી શુભ માનવામાં આવે છે. ઉત્તર દિશા ધનના દેવતા કુબેરની દિશા છે અને પૂર્વ દિશા સૂર્યનારાયણની દિશા હોવાથી ત્યાંથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે. માન્યતા છે કે આ દિશાઓમાં તુલસી વાવવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તેમની કૃપાથી ઘરમાં ક્યારેય ધન-ધાન્યની કમી રહેતી નથી.

નોંધ:-   આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું