Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : Do not keep these 4 things in the courtyard of your house by mistake

Vastu Tips: ઘરના આંગણામાં ભૂલથી પણ ન રાખો આ 4 વસ્તુઓ, નહીંતર થઈ શકે છે મોટું આર્થિક નુકસાન!

Timeછેલ્લું અપડેટ : 17 Jun 2026
લાઇવ ટીવીGoogle News
Vastu Tips: ઘરના આંગણામાં ભૂલથી પણ ન રાખો આ 4 વસ્તુઓ, નહીંતર થઈ શકે છે મોટું આર્થિક નુકસાન!
સોર્સ : GSTV

ઘર આપણા જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. વાસ્તુશાસ્ત્રમાં પણ ઘર અને તેની દિશાઓને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. તેમાં ઘર સાથે જોડાયેલા એવા ઘણા નિયમોનો ઉલ્લેખ છે, જેનું પાલન કરવાથી જીવન સુખી અને સમૃદ્ધ બને છે. જો આ નિયમોની અવગણના કરવામાં આવે, તો ઘરમાં વાસ્તુદોષ ઉત્પન્ન થાય છે અને અનેક સમસ્યાઓ શરૂ થઈ જાય છે. વાસ્તુશાસ્ત્રમાં ઘરની જેમ જ તેના આંગણાનું પણ એટલું જ મહત્વ છે.

App Store

આંગણું એટલે ઘરનું 'બ્રહ્મસ્થાન'

વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઘરના આંગણાને બ્રહ્મસ્થાન કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આંગણું એ મુખ્ય સ્થાન છે જ્યાંથી આખા ઘરમાં સકારાત્મક ઊર્જાનો પ્રવાહ વહે છે. તેથી, વાસ્તુ નિષ્ણાતો આંગણામાં અમુક વસ્તુઓ રાખવાની બિલકુલ સલાહ આપતા નથી. આંગણામાં અયોગ્ય વસ્તુઓ રાખવાથી નાણાકીય નુકસાન અને પારિવારિક ઝઘડા વધી શકે છે. જો તમારા આંગણામાં પણ નીચે જણાવેલી વસ્તુઓ પડી હોય, તો તેને તરત જ હટાવી દો:

કચરો કે કચરાપેટી (ડસ્ટબિન)

આંગણામાં ક્યારેય કચરો કે કચરાપેટી ન રાખવી જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર, આવી ભૂલથી ઘરમાં નકારાત્મક ઊર્જા પ્રવેશે છે, જેના કારણે પરિવારના સભ્યોને ભારે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

કાંટાવાળા છોડ

જો તમારા પરિવારના સભ્યો અવારનવાર માનસિક તણાવ કે અશાંતિ અનુભવતા હોય, તો આંગણામાં રાખેલા કાંટાવાળા છોડ તેનું કારણ હોઈ શકે છે. ઘરમાં કે આંગણામાં જો આવા છોડ હોય, તો તેને તાત્કાલિક દૂર કરવા જોઈએ.

તૂટેલી વસ્તુઓ કે ભંગાર

આંગણામાં તૂટેલી-ફૂટેલી વસ્તુઓ કે નકામો ભંગાર જમા ન થવા દો. વાસ્તુમાં ભંગારને રાહુનું પ્રતીક માનવામાં આવે છે. આંગણામાં રાખેલો આવો કચરો પરિવારના સભ્યોની પ્રગતિમાં અવરોધ ઊભો કરે છે અને દુર્ભાગ્ય લાવે છે.

જૂતા અને ચંપલ

ઘણા લોકો આંગણામાં ગમે ત્યાં જૂતા-ચંપલ ઉતારી દેતા હોય છે, પણ તેમ ન કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આંગણામાં અસ્તવ્યસ્ત પડેલા જૂતા-ચંપલ ઘરની બરકત અને સમૃદ્ધિને રોકે છે તેમજ માનસિક તણાવ વધારે છે.

નોંધ:-   આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.