Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : Learn simple ways to protect your home and life from negativity

Vastu Tips: જાણો ઘર અને જીવનને નકારાત્મકતાથી બચાવવા માટેના સરળ ઉપાયો

Timeછેલ્લું અપડેટ : 19 Jun 2026
લાઇવ ટીવીGoogle News
Vastu Tips: જાણો ઘર અને જીવનને નકારાત્મકતાથી બચાવવા માટેના સરળ ઉપાયો
સોર્સ : GSTV

ઘણીવાર એવું બને છે કે જીવનમાં બધું જ બરાબર ચાલી રહ્યું હોય છે. આપણને પ્રગતિની નવી તકો મળતી હોય છે, આપણે નવું ઘર કે નવી કાર ખરીદીએ છીએ. પરંતુ એક દિવસ અચાનક, જ્યારે બધું સુખરૂપ ચાલતું હોય ત્યારે જ જાણે બ્રેક વાગી જાય છે!

App Store

પ્રગતિ અટકી જાય છે, ધંધામાં નુકસાન થવા લાગે છે, ઘરમાંથી સુખ-સમૃદ્ધિ ગાયબ થઈ જાય છે અને કોઈ પણ કારણ વગર અચાનક ઝઘડા શરૂ થઈ જાય છે. પતિ-પત્ની વચ્ચે પણ અણબનાવ વધવા લાગે છે. આવી પરિસ્થિતિઓમાં આપણે સહજતાથી બોલી ઉઠીએ છીએ કે, "નક્કી, ઘરને કોઈની નજર લાગી ગઈ છે!" વાસ્તવમાં, જ્યારે કોઈ વ્યક્તિ કે ઘર નકારાત્મક ઉર્જા (ખરાબ નજર)થી પ્રભાવિત થાય છે, ત્યારે જીવનમાં આવી ઘણી મુશ્કેલીઓ આવવા લાગે છે.

'ખરાબ નજર' એટલે શું?

ચાલો તેને ટૂંકમાં સમજીએ. જ્યારે કોઈ વ્યક્તિ જીવનમાં નોંધપાત્ર પ્રગતિ કરે છે, ત્યારે કેટલાક લોકોથી તેની આ સફળતા જોવાતી નથી. તેમના મનમાં ઈર્ષ્યાની ભાવના જાગે છે અને તેઓ સતત તે વ્યક્તિ વિશે નકારાત્મક વિચારવા લાગે છે. આ ઈર્ષ્યા અને નકારાત્મક વિચારોથી એક ખાસ પ્રકારની નકારાત્મક ઊર્જા ઉત્પન્ન થાય છે, જે સીધી તમારા પર કે તમારા ઘર પર અસર કરે છે. પરિણામે, જીવનમાં અચાનક સમસ્યાઓનો પહાડ તૂટી પડે છે. વાસ્તુશાસ્ત્રમાં આ નકારાત્મક ઉર્જાને દૂર કરવા માટે કેટલાક સરળ ઉપાયો બતાવવામાં આવ્યા છે, જેના વિશે આજે આપણે જાણીશું.

નજર દોષ અને વાસ્તુ દોષ દૂર કરવાનો અચૂક ઉપાય

જો તમને લાગતું હોય કે તમારા પર અથવા તમારા ઘર પર કોઈની ખરાબ નજર છે, તો વાસ્તુશાસ્ત્રનો આ ઉપાય અજમાવો: એક ડોલ અથવા વાસણમાં પાણી લઈ તેમાં થોડું સિંધવ મીઠું ઉમેરો. હવે આ પાણીથી આખા ઘરમાં સફાઈ કરો. આ સિવાય, તમે જ્યારે પણ સ્નાન કરો ત્યારે તમારા નહાવાના પાણીમાં પણ ચપટી સિંધવ મીઠું ઉમેરો.

વાસ્તુશાસ્ત્ર અનુસાર, સિંધવ મીઠું નકારાત્મક ઉર્જાને શોષી લે છે. આ ઉપાય કરવાથી ઘરમાં રહેલા તમામ વાસ્તુ દોષો અને નજર દોષ દૂર થાય છે અને ઘરમાં ફરીથી સુખ-શાંતિનો માહોલ બને છે.

નોંધ:-   આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.