Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : Chaturmas and Vastushastra: Do these 4 simple remedies to remove rising negative energy at home

ચાતુર્માસ અને વાસ્તુશાસ્ત્ર: ઘરમાં વધતી નકારાત્મક ઉર્જાને દૂર કરવા માટે કરો આ 4 સરળ ઉપાયો

Timeછેલ્લું અપડેટ : 19 Jul 2026
લાઇવ ટીવીGoogle News
ચાતુર્માસ અને વાસ્તુશાસ્ત્ર: ઘરમાં વધતી નકારાત્મક ઉર્જાને દૂર કરવા માટે કરો આ 4 સરળ ઉપાયો
સોર્સ : gstv

સનાતન ધર્મમાં ચાતુર્માસનો સમયગાળો ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર, સૃષ્ટિના પાલનહાર ભગવાન વિષ્ણુ ચાતુર્માસ દરમિયાન ચાર મહિના સુધી યોગનિદ્રામાં રહે છે. આ સમયગાળા દરમિયાન, ભગવાન શિવ બ્રહ્માંડનું સંચાલન કરે છે. વૈદિક પંચાંગ મુજબ, ચાતુર્માસ અષાઢ મહિનાના શુક્લ પક્ષની દેવશયની એકાદશીથી શરૂ થાય છે અને કારતક મહિનાના શુક્લ પક્ષની દેવઉઠી એકાદશી સાથે સમાપ્ત થાય છે. એવી માન્યતા છે કે ચાતુર્માસ દરમિયાન નકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધે છે, જેના કારણે ગૃહકલેશ અને પરિવારના સભ્યોમાં બિનજરૂરી તણાવ ઊભો થઈ શકે છે.

App Store

વાસ્તુશાસ્ત્રમાં નકારાત્મક ઉર્જાને દૂર કરવા માટે કેટલાક ચોક્કસ ઉપાયો જણાવવામાં આવ્યા છે. આ ઉપાયોનું પાલન કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે, જેનાથી સુખ-શાંતિ આવે છે. ચાલો જાણીએ ચાતુર્માસ દરમિયાન ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરવાના વાસ્તુ ઉપાયો વિશે:

 મીઠાવાળા પાણીથી પોતું કરવું

જો તમે ચાતુર્માસ દરમિયાન ઘરમાં અશાંતિ કે તણાવ અનુભવી રહ્યા હોવ, તો પાણીમાં થોડું મીઠું (નમક) ભેળવીને દરરોજ ઘરના ફ્લોર પર પોતું કરો. વાસ્તુશાસ્ત્ર અનુસાર, આ ઉપાય નિયમિતપણે કરવાથી ઘરની નકારાત્મક ઉર્જા નષ્ટ થાય છે અને ઘરમાં સુખ-શાંતિનો સંચાર થાય છે.

કપૂર પ્રગટાવવું

હિન્દુ ધર્મમાં પૂજા દરમિયાન કપૂર પ્રગટાવવાનું વિશેષ મહત્વ છે. કપૂર સકારાત્મક ઉર્જા લાવે છે અને વાતાવરણને શુદ્ધ કરે છે. જો તમારા ઘરમાં વારંવાર કૌટુંબિક ઝઘડા થતા હોય, તો ચાતુર્માસ દરમિયાન દરરોજ સવાર-સાંજ ઘરમાં કપૂર પ્રગટાવો. એવું માનવામાં આવે છે કે આનાથી ઘરનું વાતાવરણ પવિત્ર થાય છે અને માનસિક તણાવ દૂર થાય છે.

મુખ્ય પ્રવેશદ્વાર પર દીવો પ્રગટાવવો

જો તમે આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યા હોવ, તો ચાતુર્માસ દરમિયાન દરરોજ સાંજે ઘરના મુખ્ય પ્રવેશદ્વાર (મેઈન ગેટ) પર દીવો પ્રગટાવો. વાસ્તુશાસ્ત્રમાં જણાવ્યા અનુસાર, સાંજના સમયે મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવવાથી દેવી લક્ષ્મીનું આગમન થાય છે અને નકારાત્મક શક્તિઓ ઘરમાં પ્રવેશતી અટકે છે. આ ઉપાયથી ધનલાભના યોગ પણ બને છે.

 મુખ્ય દ્વાર પર પાણી છાંટવું

આ સિવાય દરરોજ સવારે વહેલા ઉઠીને ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર સ્વચ્છ પાણી છાંટવું ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ એક સરળ ઉપાયથી ઘરમાંથી નકારાત્મકતા દૂર થાય છે અને પરિવારમાં સુખ, સમૃદ્ધિ તેમજ શાંતિ જળવાઈ રહે છે.

નોંધ:-   આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.