Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : As soon as they are present, these 4 zodiac signs will start to get immense wealth from yoga like Golden Kaal, Raja Yoga

અસ્ત થતાં જ આ 4 રાશિઓ માટે શરૂ થશે સુવર્ણકાળ, રાજયોગ જેવા યોગથી મળશે અઢળક સંપત્તિ

Timeછેલ્લું અપડેટ : 20 Sept 2026
લાઇવ ટીવીGoogle News
અસ્ત થતાં જ આ 4 રાશિઓ માટે શરૂ થશે સુવર્ણકાળ, રાજયોગ જેવા યોગથી મળશે અઢળક સંપત્તિ
સોર્સ : gstv

ધન-સંપત્તિના કારક ગ્રહ અને દૈત્યગુરુ કહેવાતા શુક્ર અસ્ત થવા જઈ રહ્યા છે. શુક્ર 23 સપ્ટેમ્બરે અસ્ત થશે અને લગભગ 37 દિવસ સુધી આ જ અવસ્થામાં રહેશે. શુક્ર દેવ પછી સીધા 30 ઓક્ટોબરે જ ઉદય થશે. આ દરમિયાન 3 ઓક્ટોબરે શુક્ર વક્રી પણ થશે. એટલે કે શુક્રની ઊંધી ચાલ શરૂ થઈ જશે. જ્યોતિષીઓનું કહેવું છે કે અસ્ત થયા પછી શુક્ર દેવ ત્રણ રાશિઓને જબરદસ્ત લાભ આપી શકે છે.

App Store

વૃષભ રાશિ

ભૌતિક સુખ-સુવિધાઓમાં વધારો લઈને આવી શકે છે. અટકેલા કે ફસાયેલા નાણાં પાછા મળવાના યોગ બની શકે છે. નવો વ્યવસાય શરૂ કરવાની અથવા પ્રોપર્ટી અને વાહન ખરીદવાની યોજના બનાવી રહેલા લોકોની ઈચ્છા પૂરી થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં મહેનતના વખાણ પણ મળી શકે છે. આર્થિક બાબતોમાં આ સમય વૃષભ રાશિના લોકો માટે ખાસ બતાવવામાં આવ્યો છે. ઘર-પરિવારમાં પણ બધું કુશળ-મંગળ રહેશે.

મિથુન રાશિ

શુક્રની આ સ્થિતિ મિથુન રાશિના લોકો માટે લાભદાયી રહી શકે છે. આવકના નવા અને સ્થાયી સ્ત્રોત બનવાના યોગ છે. નોકરિયાત લોકોને પ્રમોશન અથવા પગાર વધારાના સારા સમાચાર મળી શકે છે. જૂના રોકાણથી અપેક્ષા કરતાં વધુ વળતર મળવાની શક્યતા છે. મજબૂત નિર્ણય ક્ષમતાનો ફાયદો વ્યવસાયમાં પણ મળી શકે છે અને વ્યાવસાયિક સોદાઓથી સારો નફો મળવાના યોગ બની શકે છે.

તુલા રાશિ

અસ્ત શુક્ર તુલા રાશિની આર્થિક સ્થિતિ અને વ્યક્તિત્વ પર પણ સારી અસર પાડશે. માન-સન્માન અને સામાજિક પ્રતિષ્ઠા વધી શકે છે. મીડિયા, ફેશન, આર્ટ્સ, ડિઝાઇનિંગ અથવા કોઈ રચનાત્મક ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને ઓળખ સાથે આર્થિક લાભ મળી શકે છે. પૈતૃક સંપત્તિ સંબંધિત કોઈ જૂનો વિવાદ ઉકેલાવાથી નાણાકીય રાહત મળવાની શક્યતા પણ દર્શાવવામાં આવી છે. કોઈ જૂની ચિંતા પણ તમારી દૂર થઈ શકે છે.

મકર રાશિ

શુક્રનું આ પરિવર્તન મકર રાશિના લોકોના કરિયર માટે મહત્વપૂર્ણ બતાવવામાં આવ્યો છે. નોકરીની શોધમાં રહેલા યુવાનોને કોઈ મોટી કંપની તરફથી સારો ઓફર મળી શકે છે. કાર્યસ્થળ પર વરિષ્ઠ અધિકારીઓનો સહયોગ મળશે. વેપારને લગતી યાત્રાઓ લાભદાયી થઈ શકે છે. પરિવારમાં સુખ-શાંતિ જળવાઈ રહી શકે છે અને સંચિત ધનમાં પણ વધારો થવાના યોગ દર્શાવવામાં આવ્યા છે.

નોંધ: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને લોકવાયકાઓ પર આધારિત છે, જેનો ઉદ્દેશ્ય માત્ર માહિતી પહોંચાડવાનો છે. 'GSTV' આ વાતોની સત્યતા કે તર્કસંગતતાની પુષ્ટિ કરતું નથી. વાચકોએ કોઈપણ નિર્ણય લેતા પહેલા સંબંધિત વિષયના નિષ્ણાત અથવા શાસ્ત્રજ્ઞની સલાહ લેવી હિતાવહ છે.

 

ટોપિક્સ:GSTV NewsGujarati News