Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : 30 days caution! Sun's magnitude will increase the difficulty of these 4 zodiac signs

30 દિવસ સાવધાન! સૂર્યનું મહાગોચર આ 4 રાશિઓની વધારશે મુશ્કેલી

Timeછેલ્લું અપડેટ : 17 Sept 2026
લાઇવ ટીવીGoogle News
30 દિવસ સાવધાન! સૂર્યનું મહાગોચર આ 4 રાશિઓની વધારશે મુશ્કેલી
સોર્સ : gstv

જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોના રાજા ગણાતા સૂર્યદેવ 17 સપ્ટેમ્બર 2026ના રોજ સિંહ રાશિમાંથી નીકળીને બુધના આધિપત્ય વાળી કન્યા રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. સૂર્યનું આ ગોચર તમામ 12 રાશિઓ પર વ્યાપક અસર કરશે. જ્યોતિષીય ગણતરી મુજબ, કેટલાક જાતકો માટે આ પરિવર્તન શુભ રહેશે, પરંતુ મેષ, વૃષભ, તુલા અને કુંભ રાશિના જાતકો માટે આગામી 30 દિવસ ખાસ સાવચેતી રાખવા જેવા રહેશે. આ 1 મહિના દરમિયાન આ રાશિઓએ આર્થિક, પારિવારિક અને આરોગ્ય ક્ષેત્રે ખાસ તકેદારી રાખવી પડશે.

App Store

મેષ રાશિ

પ્રેમ સંબંધોમાં ગેરસમજ કે ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે, તેથી પરસ્પર તાલમેલ જાળવવો અનિવાર્ય રહેશે.
સંતાન પક્ષ અને અંગત સંબંધોમાં સંયમ રાખવો પડશે.
વિદ્યાર્થીઓએ પરીક્ષા કે કારકિર્દીમાં સફળતા મેળવવા સામાન્ય કરતાં વધુ મહેનત કરવી પડશે.
જોકે, નાની યાત્રાઓ તમારા માટે સાનુકૂળ પરિણામો લાવી શકે છે.
ઉપાય: દરરોજ સવારે 'ૐ સૂર્યાય નમઃ' મંત્રનો 108 વાર જાપ કરવો.

વૃષભ રાશિ

કરિયર કે બિઝનેસમાં કોઈ પણ મોટો નિર્ણય લેતાં પહેલાં અનુભવી અને વડીલોની સલાહ લેવી હિતાવહ રહેશે.
વિદ્યાર્થીઓએ લક્ષ્ય પ્રાપ્ત કરવા સખત પરિશ્રમ કરવો પડશે.
ઘરેલું મામલે અસમંજસ અને તણાવ વધી શકે છે, તેથી શાંતિ અને ધીરજથી કામ લેવું.
ઉપાય: દરરોજ સૂર્યનારાયણને તાંબાના લોટાથી અર્ઘ્ય અર્પણ કરવું અને સૂર્ય ચાલીસાનો પાઠ કરવો.

તુલા રાશિ

આ સમયગાળામાં અણધાર્યા ખર્ચાઓ વધી શકે છે, જેથી આવક અને ખર્ચ વચ્ચે સંતુલન જાળવવું મુશ્કેલ બનશે.
બિનજરૂરી પ્રવાસો ટાળવા, કારણ કે મુસાફરી દરમિયાન તકલીફ કે અવરોધ આવી શકે છે.
શારીરિક થાક, તણાવ અને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ સામે બેદરકારી ન રાખવી. પૂરતો આરામ લેવો.
ઉપાય: રવિવારે સૂર્યદેવની વિધિવત પૂજા કરવી અને કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને ઘઉંનું દાન કરવું.

કુંભ રાશિ

વેપાર અને નોકરીમાં જોખમી કે ઉતાવળિયા નિર્ણયો લેવાનું ટાળવું.
અચાનક નવી મુશ્કેલીઓ કે અણધારી પરિસ્થિતિઓ સામે આવી શકે છે.
દાંપત્યજીવનમાં વાદ-વિવાદ કે મતભેદથી બચવું, વાણી પર સંયમ રાખવો.
ખાનપાનમાં બેદરકારી ટાળવી, અન્યથા પેટ કે પાચન સંબંધી તકલીફો વધી શકે છે.
ઉપાય: રવિવારના દિવસે કોઈ જરૂરિયાતમંદને લાલ વસ્ત્રનું દાન કરવું.

નોંધ:-   આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.

 

ટોપિક્સ:GSTV NewsGujarati News