જેનિફર વિન્ગેટના ઘરે બીજી વખત ગુંજશે લગ્નની શરણાઈ, અભિનેત્રી કરી રહી છે તૈયારી

સફળ અને લોકપ્રિય અભિનેત્રી જેનિફર વિન્ગેટ ટૂંક સમયમાં લગ્ન કરવાની છે અને આ માટે તૈયારી પણ આદરી દીધી છે. બન્યું એવું કે થોડા દિવસ પહેલાં જ, જેનિફર વિન્ગેટે લગ્નના એક ડાન્સ રિલ પર એક નિરુપદ્રવી કહી શકાય એવી ટિપ્પણી કરી, જેને કારણે તેના ચાહકોનું ધ્યાન તે તરફ ખેંચાયું. આ ફેન્સના જૂથે જ વધુ શોધખોળ કરી જેને પગલે તેમને વધુ રસપ્રદ વિગતો જાણવા મળી. આ અભિનેત્રીએ લગ્ન-કેન્દ્રિત સોશિયલ-મીડિયા પૃષ્ઠોને ફોલો કરવાનું શરૂ કર્યું હતું, જેને કારણે એવી અટકળો શરૂ થઈ ગઈ હતી કે લગ્નની ઘંટડીઓ ક્ષિતિજ પર ખૂબ જ ઝડપથી સાંભળવા મળી શકે છે.
બેશક, આ સાથે એવું પણ લાગે છે કે આ અટકળો સંપૂર્ણપણે પાયાવિનાની ન હોઈ શકે. અમને ફક્ત એટલું જ જાણવા મળ્યું છે કે જેનિફર સિંગાપોરના ઉદ્યોગપતિ વિલિયમ ઇસ્માઈલને ડેટ કરી રહી છે અને બંને છેલ્લા કેટલાંક સમયથી રિલેશનશિપમાં છે. આ અભિનેત્રીના નિકટના એક સૂત્રના જણાવ્યા પ્રમાણે જેનિફર અને વિલિયમ એકબીજા સાથે ખૂબ આનંદિત અને ખુશખુશાલ જોવા મળે છે. તેમને હસતા જોવાની મજા આવે છે અને તેમના વચ્ચે પ્રેમાળ ગતિશીલતા પણ જોવા મળે છે. વિલિયમે જેનિફરને રજા દરમિયાન પ્રપોઝ કર્યું અને પ્રત્યુત્તરમાં તેણે હા પાડી હતી. તેઓ હવે લગ્નનું આયોજન કરી રહ્યા છે. જેનિફર લગ્ન સેવાઓને શોર્ટ લિસ્ટ કરી રહી છે અને એક વિસ્તૃત યાદી પણ તૈયાર કરી રહી છે.
આ સૂત્રએ વધુમાં જણાવ્યું હતું કે, 'આ ખ્રિસ્તી લગ્ન હશે. હાલમાં તેઓ સપ્ટેમ્બર-ઓક્ટોબર અને બીજી શક્યતા ડિસેમ્બર-જાન્યુઆરીમાં લગ્ન કરવાની તૈયારી છે. તેઓ અત્યારે લગ્ન ક્યાં કરવા તેના સ્થળો શોધી રહ્યા છે. જેનિફરના તમામ નિકટના મિત્રો આ યોજનાથી વાકેફ છે. આવા મિત્રોમાં હરલીન સેઠી અને જેનેલિયા દેશમુખનો સમાવેશ થાય છે.'
જેનિફરના પહેલાં લગ્ન અભિનેતા કરણસિંહ ગ્રોવર સાથે થયા હતા. આ દંપતિએ 2012માં લગ્ન કર્યા હતા અને 2014માં અલગ પણ થઈ ગયા હતા. આ પછી કરણે 2016માં બિપાશા બસુ સાથે લગ્ન કરી લીધા છે.

