Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : A character who gave new heights to his career

Chitralok : ગુરમિત ચૌધરી બન્યા 'રામ': એક પાત્ર જેણે કરિયરને આપી નવી ઊંચાઈ

Timeછેલ્લું અપડેટ : 10 Apr 2026
લાઇવ ટીવીGoogle News
Chitralok : ગુરમિત ચૌધરી બન્યા 'રામ': એક પાત્ર જેણે કરિયરને આપી નવી ઊંચાઈ
સોર્સ : gstv

ટીવી શો 'રામાયણ'માં ભગવાન રામની ભૂમિકા જાણીતા અભિનેતા ગુરમિત ચૌધરી ભજવે છે. રામ નવમીના પવિત્ર દિવસે તેણે આપેલી એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, આ તહેવાર મને શ્રધ્ધા, સકારાત્મકતા અને જીવનમાં સ્થિર રહેવાની યાદ અપાવે છે, શીખ આપે છે. આ પવિત્ર દિવસની ઉજવણી સાદગીમાં રહેલી છે, કારણ કે તેઓ આપણને કહે છે, કોઈ ઝીણવટભર્યા ઉત્સવો નથી. ફક્ત ઘરે પ્રાર્થનાની શાંત સવાર છે, જે મેં મારા પરિવાર સાથે વિતાવી છે. આ સાથે જ ગુરમિત ચૌધરી કહે છે, આ તહેવાર તો શ્રધ્ધાથી આગળ વધીને શ્રધ્ધા અને સકારાત્મકતા દ્વારા લોકોને એકસાથે લાવે છે, સાથે સાથે કુટુંબ અને સમુદાયના બંધનોને પણ મજબૂત બનાવે છે. પોતાની અભિનયની સફરની વાત કરતાં ગુરમિત શેર કરે છે, રામની ભૂમિકા ભજવ્યા પછી લાગણી વધુ ઊંડી અને ગહન બની છે. હું હવે તેને વધુ સમજણ અને કૃતજ્ઞાતા સાથે ઉજવું છું.  ૪૨ વર્ષીય આ કલાકાર ઉમેરે છે, શોમાં દરેક દ્રશ્યમાં શાંતિ અને ગૌરવ જાળવવું અત્યંત પડકારજનક હતું. રામ ખૂબ જ સંયમિત છે. તેથી મારે મારી લાગણીને નિયંત્રિત કરવી પડી, આ સાથે ગુરમિત સ્વીકારે છે કે શુટિંગ પૂરું થયા પછી પણ તે પ્રક્રિયા સમાપ્ત નહોતી થઈ. એ તો મારી સાથે જ રહી. જેણે તે પરિસ્થિતિમાં કેવી રીતે પ્રતિક્રિયા આપે છે - મારું રોજિંદુ જીવન! એક યાદ મને ખૂબ જ યાદ છે. જ્યારે લોકો મારા પગ સ્પર્શ કરતા હતા મને રામ તરીકે જોતા હતા તે ખૂબ જ નમ્ર હતું.

App Store

ગુરમિત માટે રામ નવમીનો સાચો સાર તો ધાર્મિક વિધિઓથી પણ આગળ રહેલો છે. તે આત્મનિરીક્ષણનો અવસર છે. તે માત્ર ધાર્મિક વિધિઓ જ નહીં, પરંતુ એક સારા માનવ બનવાનો છે. તે મૂલ્યો અને આંતરિક શાંતિ વિશે છે... આજના રોકેટ ઝડપી યુગમાં - માનવ જીવનમાં ભગવાન રામના પ્રામાણિકતા અને આદર જેવા મૂલ્યો પહેલા કરતાં વધુ મહત્ત્વપૂર્ણ છે, એમ ગુરમિતે ઉમેર્યું હતું.