Recipe / નવરાત્રી દરમિયાન ડુંગળી અને લસણ વગરના છોલે બનાવો, નોટ કરી આ સરળ રીત

ઘણા ઘરોમાં નવરાત્રી દરમિયાન ડુંગળી અને લસણ ખાવાનું ટાળવામાં આવે છે. તેથી, ઘણીવાર એવી મૂંઝવણ રહે છે કે એવું શું બનાવવું જે સ્વાદિષ્ટ હોય અને ડુંગળી અને લસણ વગર પણ બનાવી શકાય. તમે નવરાત્રી દરમિયાન પુરી અથવા ભાત સાથે પીરસવા માટે ડુંગળી અને લસણ વગરના છોલે બનાવી શકો છો. તે બનાવવામાં ખૂબ જ સરળ છે, પરંતુ અહીં આપેલી રેસીપીનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવે ત્યારે, તેનો સ્વાદ બજારમાં મળતા છોલે જેવો જ આવે છે.
સામગ્રી
- ચણા- 1 કપ (રાતભર પલાળેલા)
- ટામેટાં- 2 (બારીક પીસેલા)
- આદુ- 1 ટુકડો (છીણેલું)
- લીલા મરચાં- 1-2 (બારીક સમારેલા)
- કોથમરી- સમારેલી
- ચા- 1 ચમચી (કપડામાં બાંધેલી)
- તમાલપત્ર- 1
- જીરું- 1 ચમચી
- હળદર- 1/4 ચમચી
- ધાણા પાવડર- 1 ચમચી
- લાલ મરચું પાવડર- સ્વાદ મુજબ
- ગરમ મસાલો- 1/2 ચમચી
- મીઠું- સ્વાદ મુજબ
- તેલ- 2 ચમચી
બનાવવાની રીત
ડુંગળી અને લસણ વગર છોલે બનાવવા માટે, સૌથી પહેલા આખી રાત પાણીમાં પલાળીને રાખેલા ચણાને પ્રેશર કૂકરમાં મૂકો. હવે તેમાં કપડામાં બાંધેલી ચા અને મીઠું ઉમેરો. આ પછી કુકર બંધ કરીને 5 સીટી વાગે ત્યાં સુધી રાંધી લો. પછી, કૂકર ખોલો અને ચાની પોટલી બહાર કાઢી લો. હવે એક પેનમાં તેલ ગરમ કરો. જીરું અને તમાલપત્ર ઉમેરો અને તેને સાંતળો. આ પછી, આદુ અને લીલા મરચાં ઉમેરો અને સાંતળી લો.
આ પછી તેમાં ટામેટાંઉમેરો. હવે ટામેટાંમાંથી તેલ અલગ થવા લાગે ત્યાં સુધી સાંતળો. આ પછી તેમાં હળદર, ધાણા પાવડર, લાલ મરચું પાવડર અને ગરમ મસાલો ઉમેરો. બધું બરાબર સાંતળો. પછી મસાલામાં બાફેલા ચણા ઉમેરો. તેને સારી રીતે મિક્સ કરો. જરૂર મુજબ થોડું પાણી ઉમેરો અને ધીમા તાપે 5-10 મિનિટ સુધી રાંધો. આ પછી ગેસ બંધ કરો. છેલ્લે કોથમરીથી ગાર્નીશ કરીને પૂરી સાથે સર્વ કરો.

