Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / આરોગ્ય : You can also lose weight by eating bread.

Health Tips : રોટલી ખાઈને પણ ઘટાડી શકાય છે વજન, બસ આટલી વાતોનું રાખો ધ્યાન

Timeછેલ્લું અપડેટ : 10 May 2026
લાઇવ ટીવીGoogle News
Health Tips : રોટલી ખાઈને પણ ઘટાડી શકાય છે વજન, બસ આટલી વાતોનું રાખો ધ્યાન
સોર્સ : gstv

ભારતીય ભોજનમાં રોટલી એક અત્યંત મહત્વનો હિસ્સો છે. બપોરનું જમવાનું હોય કે રાતનું, રોટલી વગર થાળી અધૂરી ગણાય છે. પરંતુ જ્યારે વાત વજન ઘટાડવાની આવે છે, ત્યારે મનમાં સૌથી મોટો પ્રશ્ન એ થાય છે કે દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ? કેટલાક લોકો એક-બે રોટલી પર આવી જાય છે, તો કેટલાક સાવ છોડી દે છે. નિષ્ણાતોના મતે વજન ઘટાડવા માટે રોટલી છોડવી જરૂરી નથી, પરંતુ તેની માત્રા અને ખાવાની રીત સમજવી જરૂરી છે. નિષ્ણાતો પાસેથી જાણો કે વજન ઉતારવા માટે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ:

App Store

શું વજન ઘટાડવા માટે રોટલી છોડવી જરૂરી છે?

ઘણા લોકો વજન ઘટાડવાની સફરમાં રોટલીને સંપૂર્ણપણે ત્યાગી દે છે, પણ આ સાચો રસ્તો નથી. વજન ઘટાડવા માટે રોટલી છોડવાને બદલે તેની સંખ્યા ઓછી કરવી એ વધુ સારો વિકલ્પ છે. હેલ્થ એક્સપર્ટ્સ માને છે કે વજન ઘટાડવામાં તમારી કુલ કેલરી, શારીરિક પ્રવૃત્તિ અને સંતુલિત આહાર સૌથી વધુ ભાગ ભજવે છે. જો મર્યાદિત માત્રામાં ઘઉં, મલ્ટીગ્રેન કે બાજરીની રોટલી ખાવામાં આવે, તો તેમાંથી મળતું ફાઈબર પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે અને શરીરને જરૂરી પોષક તત્વો પૂરા પાડે છે.

વજન ઘટાડવા માટે દિવસમાં કેટલી રોટલી ખાવી?

આયુર્વેદ એક્સપર્ટ જણાવે છે કે, વજન ઉતારવા માટે રોટલીની માત્રા ધીમે-ધીમે ઓછી કરવી જોઈએ.

જો તમે અત્યાર સુધી 3 રોટલી ખાતા હોવ, તો તેને ઘટાડીને 2 અને પછી 1 કરવી જોઈએ.

એક આદર્શ ડાયટ પ્લાન મુજબ, તમારા કુલ ખોરાકમાં 90% હિસ્સો સલાડ અને અન્ય હેલ્ધી વસ્તુઓનો હોવો જોઈએ, જ્યારે માત્ર 10% હિસ્સો જ રોટલીનો રાખવો જોઈએ.

નોંધ: આ આ આર્ટિકલ તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યો છે.