શરદી-ખાંસીથી છુટકારો આપશે આ આયુર્વેદિક ઉપાયો, મિશ્ર ઋતુમાં આ રીતે રહો નિરોગી

દરેક વ્યક્તિએ ઋતુઓ અનુસાર આહાર અને જીવનશૈલીમાં ફેરફાર કરવા જોઈએ જેથી કરીને સ્વાસ્થ્ય સારી રીતે જાળવી શકીએ. હવામાનમાં ફેરફારને કારણે આપણા શરીરમાં પણ કેટલાક ફેરફારો થાય છે. હવે વસંત ઋતુ પૂરી થવા જઈ રહી છે અને શિયાળાની ઋતુ શરૂ થવા જઈ રહી છે. આ સમય બંને ઋતુઓની મિશ્ર અસરનો માનવામાં આવે છે. આ કારણથી આપણને સાંજે ઠંડી અને દિવસ દરમિયાન ગરમી લાગે છે.
આ પણ વાંચો: પોષક તત્વોનો ખજાનો છે ચિયા સીડ્સ, એક મહિના સુધી દરરોજ ખાવાથી તમને મળશે અનેક ફાયદા
આ ઋતુ પરિવર્તનની અસર શરીર પર થાય છે
આ મિશ્ર ઋતુમાં ખાસ કરીને આપણા શરીરમાં કફ જમા થવા લાગે છે જેના કારણે આપણી રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય છે. તેની અસર આપણી ત્વચા અને સ્વાસ્થ્ય પર દેખાવા લાગે છે, જેમ કે દાદર, ખરજવું, એલર્જી, અસ્થમા અને ઈન્ફલ્યુએન્ઝા જેવા રોગો થઈ શકે છે. તેનાથી બચવા માટે ડોક્ટરે કેટલાક આયુર્વેદિક ઉપાયો જણાવ્યાં છે.
આ પણ વાંચો: ડાયાબિટીસના દર્દીઓ માટે વરદાન છે આ ફળ! જાણો તેના 5 મોટા ફાયદા
આયુર્વેદિક ઉપાયોથી આ રોગોથી બચો
1. બે ચમચી તુલસીના રસમાં બે ચમચી કાળા મરીનો પાવડર ભેળવીને સવાર-સાંજ સેવન કરો.
2. ઔષધીય પાણી: 10 ગ્લાસ પાણીમાં બે ચમચી આદુ ઉકાળો, જ્યારે પાંચ ગ્લાસ પાણી રહી જાય ત્યારે ગાળીને પી લો.
આ પણ વાંચો : World Polio Day 2024: એક ખાસ હેતુથી ઉજવવામાં આવે છે આ દિવસ, જાણો ભારતમાં શું છે પોલિયોની સ્થિતિ
રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ઘરે આ ઉપાયો કરો
1. શિયાળામાં ઈન્ફેક્શનથી બચવા માટે હળદરને થોડા ઘીમાં શેકીને મધ સાથે લો.
2. હરડેનું ચૂર્ણ અને સૂકા આદુનું ચૂર્ણ મધ સાથે લેવાથી મોસમી રોગોથી બચી શકાય છે.
આ પણ વાંચો: હંમેશા નિરોગી રહેવું હોય તો અંજીરનું આવી રીતે કરો સેવન, ક્યારેય બીમાર નહીં પડો
આયુર્વેદિક ઉપચારથી શરીરને સ્વસ્થ રાખો
1. આયુર્વેદ અનુસાર, સ્નાન અને પીવા માટે હંમેશા ગરમ પાણીનો ઉપયોગ કરો, ઠંડા પાણીથી બચો.
2. શરદી અને ઉધરસની સ્થિતિમાં મોઢા પર રૂમાલ કે હાથ રાખો. સવાર-સાંજ હળદર અને મીઠુંવાળુ ગરમ પાણીથી કોગળા કરો.
3. દહીં, લસ્સી, આઈસ્ક્રીમ જેવા ઠંડા ખોરાકને ટાળો. ખજૂર, કોથમીર અને શેકેલા ચણા જેવો હળવો અને સરળતાથી પચી જાય તેવો ખોરાક લો.
4. ગાયના ઘી અથવા દેવલના બે ટીપા નસકોરામાં નાખો.
આ પણ વાંચો : શું તમને હૃદયરોગનું જોખમ છે? આ આઠમાંથી કોઈ ત્રણ તકલીફ હોય તો તરત જ સાવધાન થઈ જાવ
ખાસ નોંધ: આ સામાન્ય માહિતી છે, વ્યક્તિગત સલાહ નથી. દરેક વ્યક્તિની જરૂરિયાતો અલગ-અલગ હોય છે. કોઈપણ વસ્તુનું સેવન કરતા પહેલા ડોક્ટરની સલાહ લો. કોઈપણ વસ્તુના ઉપયોગથી થતા નુકસાન માટે GSTV જવાબદાર રહેશે નહીં.

