Health News: થાઈરોઈડ કંટ્રોલ કરવા માટે માત્ર દવાઓ જ નહીં, પણ આ યોગાસનો પણ કરશે મદદ

થાઈરોઈડની સમસ્યામાં વ્યક્તિને થાક, મૂડમાં ફેરફાર, વાળ ઝડપથી ખરવા અને વજન વધવા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવા સમયમાં યોગ નિષ્ણાત રેણુ કાલસી દર્દીને દવાઓની સાથે યોગ જેવા કે સર્વાંગાસન, મત્સ્યાસન વગેરે કરવાની સલાહ આપે છે. આનાથી થાઈરોઈડ દરમિયાન થતી સમસ્યાઓને ઓછી કરી શકાય છે.
થાઈરોઈડ માટે યોગના ફાયદા
થાઈરોઈડ અને પેરાથાઈરોઈડ ગ્રંથિઓ એન્ડોક્રાઈન સિસ્ટમનો મહત્વનો ભાગ છે. આ ગ્રંથિ ગળામાં આવેલી હોય છે. થાઈરોઈડ ગ્રંથિનું મુખ્ય કામ થાઈરોઈડ હોર્મોન બનાવવાનું છે, આ હોર્મોન મેટાબોલિઝમ, ઉર્જા બનાવવા, શરીરમાં તાપમાન અને ગ્રોથ માટે આવશ્યક હોય છે. થાઈરોઈડ ગ્રંથિ જ્યારે યોગ્ય રીતે કામ નથી કરતી, ત્યારે તેનાથી બનતા હોર્મોન્સ ઓછા કે વધારે થવા લાગે છે. આવા સંજોગોમાં વ્યક્તિને કોલેસ્ટ્રોલ વધવા, વજન ઝડપથી વધવા કે ઘટવા, ડાયાબિટીસ, સતત થાક, સાંધા અને હૃદયને લગતી સમસ્યાઓનું જોખમ વધી જાય છે.
આવી સ્થિતિમાં ડોક્ટર્સ દર્દીને દવાઓની સાથે યોગ કરવાની સલાહ આપે છે. યોગ ગુરુના જણાવ્યા અનુસાર, યોગના કેટલાક આસનો સીધી રીતે થાઈરોઈડ ગ્રંથિની કામગીરીને સક્રિય કરવામાં મદદરૂપ થાય છે અને તેનાથી થાઈરોઈડની સમસ્યા દરમિયાન અનુભવાતા લક્ષણોની અસરમાં પણ ઘટાડો જોવા મળે છે.
થાઈરોઈડમાં કયા યોગાસનો ફાયદાકારક હોઈ શકે?
૧. માર્જરીઆસન (Cat Cow Pose)
આ આસન ગરદનના હાડકા અને ગળાના ભાગમાં હળવી હલચલ પેદા કરે છે, સાથે જ કરોડરજ્જુની લવચીકતા વધારે છે અને તણાવ ઓછો કરે છે. આ આસન અંદાજે ૧૫ થી ૨૦ વખત કરવાની સલાહ આપવામાં આવે છે. આ આસન કરવા માટે તમારે ઘૂંટણ અને હથેળીના બળ પર જમીન પર બિલાડીની જેમ બેસવાનું હોય છે અને તેમાં પીઠને ઉપર લઈ જવાની અને શ્વાસ છોડતી વખતે પીઠને નીચેની તરફ લાવવાનો અભ્યાસ કરવાનો હોય છે.
૨. ઉષ્ટ્રાસન (Camel Pose)
આ આસન ગળા, છાતી, પાંસળીઓ અને પેટમાં તીવ્ર ખેંચાણ પેદા કરે છે. આ શરીરના આગળના ભાગને ખોલવામાં અને ઊંડા શ્વાસ લેવામાં મદદ કરે છે. આમાં વ્યક્તિએ ઘૂંટણના બળ પર નીચે બેસવાનું હોય છે. ત્યારપછી ધીમે-ધીમે પાછળની તરફ નમીને હથેળીઓથી એડીઓને અડવાનું હોય છે.
૩. મત્સ્યારસન (Fish Pose)
અવારનવાર સર્વાંગાસન પછી કરવામાં આવતા મત્સ્યાસનથી ગળા અને છાતીમાં ઊંડું ખેંચાણ આવે છે, સાથે જ આ આરામ અને વધુ સારી રીતે શ્વાસ લેવામાં મદદ કરે છે. આ કરવા માટે તમારે પીઠના બળે જમીન પર સૂવાનું હોય છે. ત્યારબાદ માથાના પાછળના ભાગને જમીન પર રાખીને માત્ર પીઠને ઉપરની તરફ ઉઠાવવાની હોય છે. આ પોઝિશનમાં હાથને કમરની નીચે રાખીને બોડીને સપોર્ટ આપવાનો હોય છે.
૪. હળવા બેકબેન્ડ સાથે વજ્રાસન
વજ્રાસનમાં બેસીને, પાછળની તરફ હળવું ખેંચાણ કરવાથી ગળાના ભાગમાં હળવો ખેંચાવ આવે છે અને શરીરનું પોશ્ચર (મુદ્રા) સુધરે છે. સાથે જ, થાઈરોઈડની સમસ્યામાં પણ રાહત મળે છે.
૫. ચક્રાસન (Wheel Pose)
આ એક એડવાન્સ્ડ આસન છે જે ઘણી એન્ડોક્રાઈન ગ્રંથિઓને સક્રિય કરે છે અને શરીરની ઉર્જા વધારે છે. આનો અભ્યાસ માત્ર યોગ્ય માર્ગદર્શન હેઠળ જ કરવો જોઈએ. ત્યારબાદ કરોડરજ્જુ અને પેટને આરામ આપવા માટે પવનમુક્તાસન કરી શકાય છે.
૬. સર્વાંગાસન (Shoulder Stand)
સર્વાંગાસનને પરંપરાગત રીતે "આસનોની રાણી" કહેવામાં આવે છે અને તેને અવારનવાર થાઈરોઈડને સક્રિય કરવા સાથે જોડવામાં આવે છે, કારણ કે આ આસન દરમિયાન દાઢીને લોક (ચિન લોક) કરવામાં આવે છે. જો કે, આ આસનનો અભ્યાસ માત્ર અનુભવી યોગ નિષ્ણાતની દેખરેખ હેઠળ જ કરવો જોઈએ. શરૂઆતમાં વધુ વજન ધરાવતા લોકો અને જે લોકોને ગરદનને લગતી સમસ્યા હોય, તેમણે આનાથી બચવું જોઈએ.
મહત્વની નોંધ: તણાવ ઓછો કરવા, શરીરની લવચીકતા વધારવા, ઈમોશનલ હેલ્થને સુધારવા અને ઓવરઓલ હેલ્થને સપોર્ટ કરવા માટે યોગ એક ઉત્તમ પ્રેક્ટિસ હોઈ શકે છે. જો કે, હાઇપોથાયરોડિઝમ એક એવી મેડિકલ કંડિશન છે જેના માટે યોગ્ય ડાયગ્નોસિસ અને સારવારની જરૂર હોય છે. થાઈરોઈડની સમસ્યાવાળા લોકોએ ડોક્ટરે આપેલી દવાઓ લેવાનું ચાલુ રાખવું જોઈએ અને પોતાની એક્સરસાઇઝ કે વેલનેસ રૂટિનમાં કોઈ મોટો ફેરફાર કરતા પહેલા પોતાના હેલ્થકેર પ્રોવાઈડરની સલાહ લેવી જોઈએ. મેડિકલ કેર, હેલ્ધી ખાનપાન, સ્ટ્રેસ મેનેજમેન્ટ અને રેગ્યુલર યોગ પ્રેક્ટિસનું કોમ્બિનેશન લાંબા સમય સુધી થાઈરોઈડની હેલ્થ જાળવી.

