Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / આરોગ્ય : Does consuming packet food increase the risk of fatal cancer?

Health Tips : પેકેટ ફૂડના સેવનથી જીવલેણ રોગ કેન્સરનું વધે છે જોખમ?

Timeછેલ્લું અપડેટ : 13 Jan 2026
લાઇવ ટીવીGoogle News
Health Tips : પેકેટ ફૂડના સેવનથી જીવલેણ રોગ કેન્સરનું વધે છે જોખમ?
સોર્સ : gstv

આજના ઝડપી જીવનમાં, લોકો ઝડપથી અને સરળતાથી મળતા પેકેટ ફૂડ પર વધુ નિર્ભર બન્યા છે. ચિપ્સ, બિસ્કિટ, પેકેટ જ્યુસ, કોલ્ડ ડ્રિંક્સ, પ્રોસેસ્ડ માંસ, રેડી-ટુ-ઈટ નૂડલ્સ અને બ્રેડ જેવી વસ્તુઓ દરેક ઘરમાં સામાન્ય બની ગઈ છે. હવે, પ્રશ્ન એ ઊભો થાય છે કે શું આ પેકેટ વસ્તુઓ કેન્સર જેવા ગંભીર રોગોનું કારણ બની શકે છે? આ મુદ્દા પર વિશ્વભરમાં સંશોધન ચાલી રહ્યું છે. મુખ્ય ફ્રેન્ચ અભ્યાસ ન્યુટ્રિનેટ-સાન્ટેથી લઈને તાજેતરના અહેવાલો સુધી, એવા નોંધપાત્ર પુરાવા છે કે, અલ્ટ્રા-પ્રોસેસ્ડ ખોરાકનો વધુ પડતો વપરાશ કેન્સરનું જોખમ વધારી શકે છે, પરંતુ કેટલાક નિષ્ણાતો કહે છે કે હજુ પણ કોઈ નક્કર પુરાવા નથી. કેન્સર નિષ્ણાત ડૉ. આ બાબતે પોતાનો અભિપ્રાય આપ્યો છે. અહીં જાણો તેમણે આ મુદ્દા પર શું ખુલાસો કર્યો.

App Store

અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ્સ શું છે?

અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ્સ એવા ખોરાક છે, જે ફેક્ટરીઓમાં ખૂબ જ પ્રોસેસ કરવામાં આવે છે. તેમાં મીઠું, ખાંડ, તેલ અને વિવિધ રાસાયણિક ઉમેરણો, જેમ કે પ્રિઝર્વેટિવ્સ, રંગો, સ્વાદો અને ઇમલ્સિફાયર હોય છે, જે તેમની શેલ્ફ લાઇફ વધારવા અને તેમના સ્વાદને વધારવા માટે છે. પેકેજ્ડ ચિપ્સ, સોડા, પેકેજ્ડ જ્યુસ, પ્રોસેસ્ડ ચીઝ, સોસેજ અને હૈમ જેવા માંસ ઉત્પાદનો અને વિવિધ નાસ્તા સામાન્ય રીતે આ શ્રેણીમાં આવે છે.

સંશોધનમાં શું બહાર આવ્યું છે?

હકીકતમાં, 2018માં ન્યુટ્રીનેટ-સાન્ટે નામના એક મોટા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, આહારમાં અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડનું પ્રમાણ 10 ટકા વધારવાથી કેન્સરનું જોખમ 12 ટકા અને સ્તન કેન્સરનું જોખમ 11 ટકા વધે છે. પ્રખ્યાત મેડિકલ જર્નલ BMJમાં પ્રકાશિત આ અભ્યાસમાં સમયાંતરે હજારો લોકોનું અનુસરણ કરવામાં આવ્યું હતું. જાન્યુઆરી 2026માં ન્યુટ્રીનેટ-સાન્ટે અભ્યાસનો એક નવો ભાગ BMJ જર્નલમાં પ્રકાશિત થયો હતો, જેમાં ફૂડ પ્રિઝર્વેટિવ્સ - બગાડ અટકાવતા રસાયણો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.

નવા અભ્યાસમાં આટલા લોકોએ ભાગ લીધો

અહેવાલો અનુસાર, નવા અભ્યાસમાં 100,000થી વધુ લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પરિણામો દર્શાવે છે કે ચોક્કસ પ્રિઝર્વેટિવ્સનો વધુ પડતો વપરાશ સ્તન કેન્સર અને પ્રોસ્ટેટ કેન્સર સહિત તમામ પ્રકારના કેન્સરનું જોખમ વધારે છે. હકીકતમાં, પોટેશિયમ સોર્બેટ, સોડિયમ નાઇટ્રાઇટ, પોટેશિયમ નાઇટ્રેટ અને સોડિયમ એરિથોર્બેટ જેવા ઉમેરણો ઊંચા જોખમ સાથે સંકળાયેલા હતા. જોકે પ્રિઝર્વેટિવ્સ અને કેન્સર વચ્ચે સીધો સંબંધ જોવા મળ્યો નથી, પરંતુ જે લોકોએ તેનું વધુ પડતું સેવન કર્યું છે તેમાં કેન્સરના જોખમમાં 10-20 ટકાનો વધારો જોવા મળ્યો છે.

જોખમ કેમ વધે છે?

નિષ્ણાતોના મતે, અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ મીઠું, ખાંડ અને સેચુરેટેજ ફેટ વધુ માત્રામાં હોય છે, જે સ્થૂળતા, ડાયાબિટીસ અને સોજાનું કારણ બને છે. આ બધા કેન્સર માટે જોખમી પરિબળો છે. વધુમાં, પેકેજિંગમાંથી મળતા રસાયણો અને પ્રિઝર્વેટિવ્સ સોજો પેદા કરી શકે છે અથવા ડીએનએને નુકસાન પહોંચાડી શકે છે. માઇક્રોપ્લાસ્ટિક્સ પ્લાસ્ટિક પેકેજિંગમાંથી પણ શરીરમાં પ્રવેશી શકે છે.

શું પેકેજ્ડ ફૂડ ક્યારેય ટાળવું જોઈએ?

બધા સંશોધનો પછી, પ્રશ્ન એ ઊભો થાય છે કે શું ભૂલથી પણ પેકેઝડ ફૂડ ટાળવું જોઈએ? કેન્સર નિષ્ણાત ડૉ. સમજાવ્યું કે અસંખ્ય અભ્યાસો હાથ ધરવામાં આવ્યા છે, પરંતુ હજુ સુધી કોઈ પ્રયોગશાળાએ એવા નિર્ણાયક પુરાવા શોધી કાઢ્યા નથી કે પેકેજ્ડ ફૂડ કેન્સરનું કારણ બને છે. જો કે તે સ્પષ્ટ છે કે, પેકેજ્ઝડ ફૂડ હાનિકારક છે, જેનાથી પેટની બીમારીઓ અને જઠરાંત્રિય સમસ્યાઓનું જોખમ વધે છે. તાજો રસ, દૂધ અથવા બ્રેડ ફાયદાકારક છે, પરંતુ પેકેજ્ડ ફૂડ નુકસાનકારક હોઈ શકે છે. પ્લાસ્ટિકના પેકેટમાં દૂધ પણ બિનઆરોગ્યપ્રદ માનવામાં આવે છે, પરંતુ કેન્સરના કોઈ પુરાવા મળ્યા નથી. જો કે, આને અવગણવું વધુ હિતાવહ છે.

નોંધ: આ સમાચાર માત્ર તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યા છે. કોઈપણ વસ્તુના ઉપયોગથી થતા નુકસાન માટે GSTV જવાબદાર રહેશે નહીં