Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / આરોગ્ય : Be careful with these vegetables in summer.

Health Tips: ઉનાળામાં આ શાકભાજીથી રહો સાવધ! શરીરમાં ગરમી વધારી શકે છે આ 5 વસ્તુઓ

Timeછેલ્લું અપડેટ : 03 May 2026
લાઇવ ટીવીGoogle News
Health Tips: ઉનાળામાં આ શાકભાજીથી રહો સાવધ! શરીરમાં ગરમી વધારી શકે છે આ 5 વસ્તુઓ
સોર્સ : gstv

અતિશય ગરમીમાં, શરીરનું તાપમાન નિયંત્રિત રાખવું જરૂરી છે, તેથી વ્યક્તિએ એવા ખોરાક ખાવા જોઈએ જે ઠંડા હોય અને તેને પચવા માટે વધારાની ઊર્જાની જરૂર ન પડે. ઉનાળાની ઋતુ દરમિયાન તમારો ડાયટ એવો હોવો જોઈએ કે જે તમારા શરીરને ઠંડુ અને હાઇડ્રેટેડ રાખે.

App Store

રીંગણની તાસીર ગરમ હોય છે. રીંગણમાં થર્મોજેનિક ગુણ હોય છે. જે શરીરમાં ગરમીને વધારે છે. રીંગણ વધુ ખાવાથી એસિડિટી થઈ શકે છે.

સરગવો પોષક તત્વોથી ભરપૂર હોય છે. પરંતુ તેની તાસીર ગરમ હોય છે. ઉનાળામાં તેનો વધુ ઉપયોગ શરીરમાં ગરમી વધારી શકે છે. તેથી મર્યાદિત માત્રામાં જ તે ખાવી જોઈએ.

ડુંગળી સામાન્ય રીતે ઠંડી હોય છે. પરંતુ વધુ માત્રામાં ખાવાથી શરીરમાં તે ગરમી વધારી શકે છે. જેનાથી આપણા શરીરમાં એસિડિટી થઈ શકે છે.

લસણની તાસીર ગરમ હોય છે. તે મેટાબોલિઝમ વધારે છે. ઉનાળામાં લસણ વધારે ખાવાથી શરીરમાં બળતરા થઈ શકે છે.

આદુનો સ્વાદ તીખો હોય છે. તેનો વધુ પડતો ઉપયોગ શરીરમાં ગરમી ઉત્પન્ન કરી શકે છે.

ટોપિક્સ:health tipshealth tips gujarati