VIDEO: ત્રિપુરાના મુખ્યમંત્રીએ યોજ્યો જનતા દરબાર
સોર્સ : GSTV
ત્રિપુરાના અગરતલામાં મુખ્યમંત્રી માણિક સાહાએ જનતા દરબાર યોજ્યો હતો. આ દરમિયાન મોટી સંખ્યામાં નાગરિકોએ પોતાની ફરિયાદો, અરજીઓ અને વિવિધ પ્રશ્નો મુખ્યમંત્રી સમક્ષ રજૂ કર્યા હતા. મુખ્યમંત્રીએ લોકોની રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળી સંબંધિત વિભાગોના અધિકારીઓને જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી હતી. રાજ્ય સરકાર દ્વારા લોકોની સમસ્યાઓનું ઝડપી નિરાકરણ લાવવા અને શાસનને વધુ જવાબદાર બનાવવા માટે આવા જનતા દરબારનું આયોજન કરવામાં આવે છે. કાર્યક્રમમાં વિવિધ વિભાગોના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા અને અનેક અરજીઓનો સ્થળ પર જ નિકાલ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

