VIDEO:યુપીના જલાલાબાદનું નામ બદલીને પરશુરામપુરી કરવાના પ્રસ્તાવને મંજૂરી
સોર્સ : gstv
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં 29 પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી છે. આમાં સૌથી મહત્વનો નિર્ણય શાહજહાંપુર જિલ્લાના જલાલાબાદ તાલુકાનું નામ બદલીને પરશુરામપુરી કરવાનો છે. આ સ્થળ ભગવાન પરશુરામનું જન્મસ્થળ છે. બેઠકમાં ગોરખપુર અને મુરાદાબાદમાં ૧૦૦ બેડની નવી મેડિકલ કોલેજો બનાવવાને મંજૂરી આપવામાં આવી છે. વધુમાં, રાજ્યના ૧.૬૦ લાખથી વધુ હોમગાર્ડ્સ અને તેમના પરિવારજનોને કેશલેસ તબીબી સારવારની સુવિધા આપવાનો નિર્ણય લેવાયો છે. વારાણસીમાં ESIC મેડિકલ કોલેજ માટે મફત જમીન ફાળવવાની પ્રક્રિયાને પણ મંજૂરી મળી છે.

