VIDEO: માલીવાલે કેજરીવાલને ગણાવ્યા “મહિલા વિરોધી”, કહ્યું બે વર્ષમાં સંસદમાં એક વખત પણ બોલવાની તક ના આપી
સોર્સ : gstv
આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. રાજ્યસભાની સાંસદ સ્વાતિ માલીવાલે સત્તાવાર રીતે ભાજપમાં જોડાવાની જાહેરાત કરી. લગભગ બે દાયકાનો આપ સાથેનો સંબંધ તોડી માલીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. માલીવાલે કહ્યું કે તેઓ કોઈ દબાણમાં નહીં પરંતુ દેશના વિકાસ માટે ભાજપમાં જોડાઈ છે. તો માલીવાલે અરવિંદ કેજરીવાલ પર ગંભીર આક્ષેપો કર્યા.
તેમણે જણાવ્યું કે, 2006થી તેઓ કેજરીવાલ સાથે રહી છે, પરંતુ પોતાના જ ઘરમાં તેમના પર હુમલો કરાવવામાં આવ્યો. અવાજ ઉઠાવતા તેમને ધમકીઓ આપવામાં આવી અને FIR પાછી ખેંચવા દબાણ કરાયું. માલીવાલે કેજરીવાલને “મહિલા વિરોધી” ગણાવીને કહ્યું કે છેલ્લા બે વર્ષમાં તેમને સંસદમાં એક વખત પણ બોલવાની તક આપવામાં આવી નથી.

