video: જયપુરમાં કોંગ્રેસનું રામ મંદિર દાન ચોરી મુદ્દે વિરોધ પ્રદર્શન
સોર્સ : gstv
જયપુરમાં કોંગ્રેસ દ્વારા રામ મંદિર દાન રકમમાં કથિત ચોરીના આક્ષેપોને લઈને વિરોધ પ્રદર્શન યોજાયું. પ્રદર્શનમાં પાર્ટીના નેતાઓએ સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ તપાસની માગ ઉઠાવી. પ્રતાપ સિંહ ખાચરિયાવાસ સહિતના નેતાઓએ સ્વતંત્ર તપાસ સમિતિ રચવાની પણ માંગ કરી. તેમણે દાનની રકમમાં પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. કોંગ્રેસે દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની પણ માગ કરી છે.

