Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : This is how democracy should work, I want to see more of this spirit in India: Shashi Tharoor

લોકશાહીએ આ રીતે કામ કરવું જોઈએ, હું ભારતમાં આ ભાવના વધુ જોવા ઈચ્છું છું: શશિ થરૂર

Timeછેલ્લું અપડેટ : 22 Nov 2025
લાઇવ ટીવીGoogle News
લોકશાહીએ આ રીતે કામ કરવું જોઈએ, હું ભારતમાં આ ભાવના વધુ જોવા ઈચ્છું છું: શશિ થરૂર
સોર્સ : GSTV

કોંગ્રેસ સાંસદ શશિ થરૂર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અવારનવાર વખાણ કરતા રહે છે. આ કારણે, તેઓ વારંવાર કોંગ્રેસ પક્ષના વિરોધ અને નિશાના પર પણ આવી જાય છે. તાજેતરમાં, તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક પોસ્ટ દ્વારા પોતાના વિચારો રજૂ કર્યા છે.

App Store

શનિવારે સોશિયલ મીડિયા પરની પોસ્ટમાં શશિ થરૂરે લોકશાહીની ભાવના પર ભાર મૂક્યો હતો. થરૂરના મતે, ચૂંટણી દરમિયાન વિચારોની લડાઈ પૂરી શક્તિથી લડવી જોઈએ, પરંતુ જનતાએ એકવાર નિર્ણય આપી દીધા પછી, તમામ રાજકીય પક્ષોએ દેશના હિત માટે એકબીજાને સહકાર આપવો જોઈએ.

રાષ્ટ્રહિત માટે એક થવું જોઈએ 

પોતાની પોસ્ટમાં, કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને મમદાનીનો ફોટો શેર કર્યો હતો. તેમણે લખ્યું કે લોકશાહીએ આ રીતે કામ કરવું જોઈએ, 'તમે ચૂંટણી દરમિયાન તમારા મુદ્દાઓ માટે કોઈ પણ જાતની રોકટોક વગર, જોશથી લડો. પરંતુ, એકવાર ચૂંટણી પૂરી થાય અને જનતા પોતાનો નિર્ણય જાહેર કરી દે, પછી જે દેશની સેવા કરવાનું તમે વચન આપ્યું છે, તેના સામાન્ય હિતો માટે એકબીજાને ટેકો આપતા શીખો. હું ભારતમાં આ ભાવના વધુ જોવા ઈચ્છું છું અને હું પોતે પણ તેમાં યોગદાન આપવાનો પ્રયાસ કરી રહ્યો છું.'

ધ્યાન આપવા જેવી બાબત એ છે કે, થરૂરની આ ટિપ્પણી એવા સમયે આવી છે, જ્યારે તેમણે ભારતમાં કેન્દ્ર સરકારના ઘણા પગલાંને યોગ્ય ગણાવ્યા છે. પરિણામે, કોંગ્રેસ પાર્ટી તેમના આવા અનેક નિવેદનોથી પોતાને દૂર રાખે છે.

શશિ થરૂર દ્વારા વડાપ્રધાન મોદીની પ્રશંસા

કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે તાજેતરમાં વડાપ્રધાન મોદીના વખાણ કર્યા હતા, જેના કારણે કોંગ્રેસ પક્ષમાં ભારે ખળભળાટ મચી ગયો હતો.

થરૂરે 'X'પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, 'પ્રધાનમંત્રી મોદીનું રામનાથ ગોએન્કા વ્યાખ્યાન માત્ર એક આર્થિક દૃષ્ટિકોણ જ નહીં, પરંતુ એક સાંસ્કૃતિક આહ્વાન પણ હતું. તેમણે સ્પષ્ટતા કરી કે હું સખત શરદી-ખાંસીથી પીડાતો હોવા છતાં, ભાષણ સાંભળવા માટે શ્રોતાઓમાં હાજર રહીને મને ખૂબ જ આનંદ થયો.'

કોંગ્રેસે થરૂરની ટિપ્પણીની ટીકા કરી

વડાપ્રધાન મોદીની પ્રશંસા કર્યા પછી શશિ થરૂરને તેમની જ પાર્ટીના નેતાઓએ નિશાના પર લીધા હતા. કોંગ્રેસના નેતા સંદીપ દીક્ષિતે તેમને પાખંડી સુદ્ધાં ગણાવ્યા હતા. વળી, પાર્ટીના અન્ય એક નેતાએ કહ્યું કે, અમને વડાપ્રધાનના ભાષણમાં કશું પણ પ્રશંસનીય લાગ્યું નહોતું.