Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : ‘They used to say that if the government changes, everything will be fine, but...’: RG Kar victim's mother and BJP MLA opens front against their own government system!

‘કહેતા હતા સરકાર બદલાશે તો બધું સારું થશે, પણ...’: RG Kar પીડિતાની માતા અને ભાજપ ધારાસભ્યે પોતાની જ સરકારની સિસ્ટમ સામે ખોલ્યો મોરચો!

Timeછેલ્લું અપડેટ : 04 Sept 2026
લાઇવ ટીવીGoogle News
‘કહેતા હતા સરકાર બદલાશે તો બધું સારું થશે, પણ...’: RG Kar પીડિતાની માતા અને ભાજપ ધારાસભ્યે પોતાની જ સરકારની સિસ્ટમ સામે ખોલ્યો મોરચો!
સોર્સ : gstv

કોલકાતાની આર.જી. કર (RG Kar) મેડિકલ કોલેજ અને હોસ્પિટલની રેપ-મર્ડર પીડિતાની માતા તેમજ પાનીહાટી બેઠકના ભાજપના ધારાસભ્ય રત્ના દેબનાથે પશ્ચિમ બંગાળની શુભેન્દુ સરકાર તેમજ આ કેસમાં ચાલી રહેલી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)ની તપાસની પ્રગતિ સામે ખુલીને નારાજગી વ્યક્ત કરી છે. બુધવારે બેરકપુરમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન તેમણે ભારે આક્રોશ સાથે જણાવ્યું હતું કે રાજ્યમાં સરકાર બદલાઈ ગઈ હોવા છતાં પીડિતાને ન્યાય અપાવવાની દિશામાં કોઈ નક્કર પ્રગતિ થઈ નથી. ન્યાય અપાવવાની પ્રક્રિયાના કેટલાક મહત્ત્વના પાસાંઓ પર તપાસ બિલકુલ આગળ વધી રહી નથી, જેને લઈને તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે શું સરકાર બદલાયા પછી ખરેખર વાસ્તવિક સ્થિતિમાં કોઈ સુધારો આવ્યો છે કે નહીં.

App Store

'કહેવામાં આવ્યું હતું કે સરકાર બદલાશે તો બધું સારું થઈ જશે'

રત્ના દેબનાથે પોતાની વ્યથા વર્ણવતાં જણાવ્યું હતું કે તેમને સતત એવો વિશ્વાસ અપાવવામાં આવતો હતો કે એકવાર સરકાર બદલાઈ જશે તો બધું જ ઠીક થઈ જશે. તેમણે ખુલાસો કર્યો હતો કે તેમનો પરિવાર ક્યારેય રાજકારણમાં આવવા માંગતો નહોતો. તેમના પતિનો પોતાનો વેપાર હતો અને તેમની સ્વર્ગસ્થ દીકરીએ પણ તેમને રાજનીતિમાં ક્યારેય ન જોડાવાની સલાહ આપી હતી; એટલું જ નહીં, દીકરીએ પોતાના પિતાને વેપાર પણ બંધ કરી દેવા કહ્યું હતું.

રાજકારણમાં જોડાવા પાછળના કારણ અંગે તેમણે સ્પષ્ટતા કરી હતી કે દીકરીના દર્દનાક મોતના આઘાત પછી પરિવાર રાજકારણમાં પ્રવેશવા જરાય તૈયાર નહોતો. પરંતુ તે સમયે તેમને સમજાવવામાં આવ્યું હતું કે પશ્ચિમ બંગાળની સ્થિતિ ખૂબ કથળી ગઈ છે અને રાજ્યની શિક્ષણ તેમજ આરોગ્ય વ્યવસ્થામાં મોટો ઘટાડો આવ્યો છે.

'મારી ડૉક્ટર દીકરીની હત્યા બાદ આરોગ્ય વ્યવસ્થાની બદહાલ સ્થિતિ સામે આવી'

રત્ના દેબનાથે જણાવ્યું કે 9 ઓગસ્ટ 2024ના રોજ RG Kar હોસ્પિટલમાં તેમની ડૉક્ટર દીકરીની ઘાતકી હત્યા થઈ, તે પછી સમગ્ર રાજ્યની જર્જરિત અને લાચાર આરોગ્ય વ્યવસ્થા સૌની સામે ખુલ્લી પડી ગઈ હતી. કોર્ટ દ્વારા આ મામલે નવી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરવામાં આવ્યા બાદ તેમણે CBIની તપાસ પ્રક્રિયાની પણ આકરી ટીકા કરી હતી.

'જો ડૉક્ટર અપરાધી હોય તો પછી ધરપકડ કેમ નહીં?'

CBIની ઢીલી કાર્યપદ્ધતિ સામે ગંભીર આરોપ લગાવતાં રત્ના દેબનાથે સીધો પ્રશ્ન ઉઠાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, CBI તરફથી એવું કહેવામાં આવી રહ્યું છે કે આરોપીઓ ડૉક્ટર છે અને તેમની આ રીતે ધરપકડ ન કરી શકાય. જજે પણ કહ્યું હતું કે ડૉક્ટરોની આ રીતે ધરપકડ ન થઈ શકે. મારી દીકરી પણ તો એક ડૉક્ટર જ હતી! પરંતુ જો કોઈ ડૉક્ટર અપરાધી હોય અને મારી દીકરીની હત્યામાં સામેલ હોય, તો પછી તેની ધરપકડ કેમ ન થઈ શકે?"

સિસ્ટમ બદલવાની તાતી જરૂરિયાત

અંતમાં રત્ના દેબનાથે સમગ્ર સરકારી તંત્ર અને સિસ્ટમને ધરમૂળથી બદલવાની માંગણી કરી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં અપીલ કરી કે માત્ર સત્તા કે ચહેરાઓ બદલાવાથી કશું વળશે નહીં; જો પીડિતાને સાચો ન્યાય અપાવવો હોય તો આ કેસમાં વધુ અસરકારક, તટસ્થ અને પારદર્શક તપાસ થવી જોઈએ તેમજ ગુનામાં સામેલ પ્રત્યેક વ્યક્તિ સામે કોઈપણ ભય વગર કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવવી જોઈએ.

ટોપિક્સ:GSTV NewsGujarati News