VIDEO: રામ મંદિરના કરોડો રૂપિયાની હેરાફેરીના આરોપી લવકુશ મિશ્રાની મિલકતો સ્થાનિક લોકોમાં ભારે ચર્ચાનો વિષય બની છે.
સોર્સ : gstv
ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરના ચઢાવા અને દાનની રકમમાં કરોડો રૂપિયાની હેરાફેરીના કેસમાં ધરપકડ કરાયેલા મુખ્ય આરોપી લવકુશ મિશ્રાની મિલકતો સ્થાનિક લોકોમાં ભારે ચર્ચાનો વિષય બની છે. અયોધ્યા-લખનઉ હાઈવે નજીક માત્ર ૧૨ થી ૧૫ હજાર રૂપિયાનો માસિક પગાર મેળવતા આ કેશ-કાઉન્ટિંગ સ્ટાફના કર્મચારીએ તેની પત્નીના નામે લાખો રૂપિયાની જમીન ખરીદીને બે માળનું આલીશાન મકાન બનાવવાનું શરૂ કર્યું હતું. વિઝ્યુઅલ્સમાં આ અર્ધ-નિર્મિત બે માળનું મકાન જોઈ શકાય છે, જ્યાં કૌભાંડ બહાર આવ્યા બાદ મજૂરો કામ છોડીને ભાગી ગયા છે. પોલીસ તપાસમાં લવકુશના ઘરેથી લાખોની રોકડ રકમ પણ જપ્ત કરવામાં આવી છે, જ્યારે અયોધ્યા ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા નિયમોના ઉલ્લંઘન બદલ આ પ્રોપર્ટી પર ડિમોલિશનની નોટિસ ફટકારવામાં આવી છે.

