Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Suspense rises over Karnataka Cabinet expansion: Why CM and Deputy CM suddenly rush to Delhi?

VIDEO: કર્ણાટક કેબિનેટ વિસ્તરણને લઈને સસ્પેન્સ વધ્યું: સીએમ અને ડેપ્યુટી સીએમ અચાનક દિલ્હી કેમ દોડી ગયા?

Timeછેલ્લું અપડેટ : 16 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

કર્ણાટકમાં નવી સરકારની રચના બાદ હવે કેબિનેટ વિસ્તરણને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. આ સંદર્ભમાં કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ રણદીપ સિંહ સુરજેવાલાએ દિલ્હીમાં પક્ષના વરિષ્ઠ નેતાઓ વચ્ચે ચાલી રહેલી બેઠકો અંગે મહત્વની માહિતી આપી છે.

App Store

માધ્યમો સાથે વાતચીત કરતા રણદીપ સિંહ સુરજેવાલાએ જણાવ્યું હતું કે, "આજે કર્ણાટકના મુખ્યમંત્રી ડી.કે. શિવકુમાર, પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ કાર્યકારી સમિતિના સભ્ય સિદ્ધારમૈયા, આપણા પીસીસી પ્રમુખ બી.કે. હરિપ્રસાદ અને અમારા ઘણા મંત્રીઓ તથા વરિષ્ઠ કોંગ્રેસ નેતાઓ દિલ્હી આવ્યા છે. ડી.કે. શિવકુમાર અને સિદ્ધારમૈયાએ રાહુલ ગાંધી તેમજ સંગઠન મહાસચિવ કે.સી. વેણુગોપાલ સાથે મુલાકાત કરી છે."

તેમણે વધુમાં ઉમેર્યું કે, "આ ચર્ચાઓ હજી હમણાં જ શરૂ થઈ છે. હું અત્યારે કોઈ ચોક્કસ તારીખ આપી શકું તેમ નથી, કારણ કે આ પ્રારંભિક તબક્કાની ચર્ચા છે. પરંતુ એટલું ચોક્કસ કહીશ કે કર્ણાટક કેબિનેટનું વિસ્તરણ ખૂબ જ ટૂંક સમયમાં કરવામાં આવશે."

કેબિનેટના સમીકરણો અંગે સ્પષ્ટતા કરતા કોંગ્રેસ મહાસચિવે કહ્યું કે, "હાલમાં કેબિનેટમાં ૨૦ જગ્યાઓ ખાલી છે અને સ્પીકર (વિધાનસભા અધ્યક્ષ)નું પદ પણ ખાલી છે. અત્યારે પરામર્શ ચાલી રહ્યો છે અને આ ચર્ચા પૂર્ણ થયા બાદ જ કંઈક સત્તાવાર કહી શકાશે. અમારો પ્રયાસ રહેશે કે જેટલી બને તેટલી વધુ અથવા તો તમામ ખાલી જગ્યાઓ ભરી દેવામાં આવે. મને પૂરી આશા છે કે આગામી વિધાનસભા સત્ર શરૂ થાય તે પહેલા જ કેબિનેટ વિસ્તરણની પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવશે."

દિલ્હીમાં ચાલી રહેલી આ હાઈપ્રોફાઈલ બેઠકોને જોતાં આગામી એક-બે દિવસમાં જ કર્ણાટક મંત્રીમંડળના નવા ચહેરાઓના નામ સત્તાવાર રીતે જાહેર થાય તેવી પૂરેપૂરી સંભાવના છે.