VIDEO: સુપ્રીમ કોર્ટની બિલ્ડરોને કડક ચેતવણી: બ્રોશરના વચનો માત્ર માર્કેટિંગ યુક્તિ નથી, પાલન કરવું ફરજિયાત
સોર્સ : gstv
સુપ્રીમ કોર્ટે રિયલ એસ્ટેટ બિલ્ડરોને ચેતવણી આપતા જણાવ્યું છે કે પ્રોજેક્ટ બ્રોશરના વચનોને માત્ર માર્કેટિંગ ગણીને નકારી શકાય નહીં. ગુરુગ્રામના ડેવલપર્સ કેસની સુનાવણી કરતી વખતે જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહ અને જસ્ટિસ આર. મહાદેવનની બેન્ચે નોંધ્યું કે પ્રોજેક્ટમાં વચન આપેલો ૨૪ મીટર પહોળો રસ્તો ગાયબ હતો. કોર્ટે લેઆઉટમાં મનસ્વી ફેરફારોને ગ્રાહકોના વિશ્વાસનું ઉલ્લંઘન ગણાવ્યું છે. સાથે જ, જો આગામી સુનાવણી સુધી પ્રોજેક્ટને બ્રોશર મુજબ સુસંગત નહીં બનાવાય, તો યોગ્ય આદેશો આપવાની ચીમકી પણ ઉચ્ચારી છે.

