VIDEO: મણિપુરમાં હડતાળ: વસ્તી ગણતરી પહેલા એનઆરસી લાગુ કરવાની માંગ સાથે જોરદાર વિરોધ
સોર્સ : gstv
મણિપુરમાં બે દિવસીય સામાન્ય હડતાળની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યમાં વસ્તી ગણતરીની પ્રક્રિયા શરૂ થાય તે પહેલાં રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર એટલે કે NRC લાગુ કરવાની મુખ્ય માંગ સાથે આ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે....વસ્તી ગણતરી અંતર્ગત ઘર-યાદીનો તબક્કો શરૂ થવાનો હતો, પરંતુ ઇમ્ફાલ અને ખીણના વિસ્તારોમાં તેનો ભારે વિરોધ થઈ રહ્યો છે. વિદ્યાર્થી સંગઠનો, બજાર સંસ્થાઓ અને નાગરિક સમાજ દ્વારા આ પ્રક્રિયાનો બહિષ્કાર કરવાની ચીમકી આપવામાં આવી છે, જેને કારણે રાજ્યમાં તંગદિલીભર્યો માહોલ સર્જાયો છે.

