VIDEO: Manipurમાં કુદરતનો પ્રકોપ; ચુરાચાંદપુરમાં ભીષણ વાવાઝોડા અને વરસાદથી ભારે તબાહી, જનજીવન અસ્તવ્યસ્ત
સોર્સ : GSTV
મણિપુરના ચુરાચાંદપુરમાં અચાનક ભીષણ વાવાઝોડા અને ભારે વરસાદને કારણે સામાન્ય જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. મુશળધાર વરસાદને લીધે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જેનાથી વાહનવ્યવહાર પર માઠી અસર પડી છે. તીવ્ર પવનને કારણે કેટલાય વૃક્ષો અને વીજળીના થાંભલા ધરાશાયી થતા અનેક વિસ્તારોમાં અંધારપટ છવાયો છે. સ્થાનિક રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વહીવટીતંત્રએ લોકોને સાવચેત રહેવા અને સુરક્ષિત સ્થળોએ રહેવાની અપીલ કરી છે. કુદરતના આ પ્રકોપથી સંપર્ક વ્યવહાર પણ પ્રભાવિત થયો છે.

