VIDEO: મણિપુરમાં ચાલતી હિંસા પર ત્રણેય સેનાના નિવૃત્ત અધિકારીઓએ કરી કડક નિંદા, તમામ જાતિઓને એકતા જાળવવા અનુરોધ
મણિપુરમાં છેલ્લા ત્રણ વર્ષથી ચાલતી હિંસા અને હત્યાના બનાવોને લઈને આર્મ્ડ ફોર્સ એક્સ સર્વિસ એસોસિએશન ઓફ મણિપુર દ્વારા શાંતિ માટે અપીલ કરવામાં આવી છે, જેમાં નૌસેના, થલસેના અને વાયુસેનાના નિવૃત્ત અધિકારીઓએ એકસ્વરે હિંસાની કડક નિંદા કરી છે. સંસ્થાએ તમામ સમાજ અને ધર્મના લોકો સાથે મળી શાંતિ, એકતા અને સુરક્ષા જાળવવા અનુરોધ કર્યો છે. તેઓએ ગોળીબાર અને હત્યાઓ તરત બંધ કરવાની માંગ સાથે ભાઈચારો જાળવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. તમામ જાતિઓને એકતામાં રહેવા અને રાજ્યના વિભાજનની માંગોથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી છે. હિંસાથી પીડાતા માતા, બાળકો અને પરિવારોની પીડાને ધ્યાનમાં રાખીને શાંતિપૂર્ણ વિરોધનો માર્ગ અપનાવવા સૂચન આપવામાં આવ્યું છે. સંસ્થાએ રાજ્યમાં સ્થિરતા, વિકાસ અને બાળકોના ભવિષ્ય માટે સૌએ સાથે મળીને કામ કરવાની જરૂરિયાત દર્શાવી છે. તેમનું મુખ્ય લક્ષ્ય મણિપુરને ફરી શાંતિ અને પ્રગતિના માર્ગ પર લાવવાનું છે.

