Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Ram Mandir Donation Theft Case: 'I will answer all allegations after SIT's final report', Champat Rai breaks silence

VIDEO: રામ મંદિર દાન ચોરી કેસ : ' SITના ફાઇનલ રિપોર્ટ પછી આપીશ બધા આરોપોના જવાબ', ચંપત રાયે તોડ્યું મૌન

Timeછેલ્લું અપડેટ : 07 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અયોધ્યાના શ્રી રામ મંદિર દાન ચોરીનો મામલો સામે આવ્યા બાદ ચારેબાજુથી ઘેરાયેલા ચંપત રાયની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પૂર્વ મહાસચિવ ચંપત રાયે પોતાના સત્તાવાર 'X' (ટ્વિટર) એકાઉન્ટ પર હાથથી લખાયેલો એક પત્ર શેર કર્યો છે. આ પત્રમાં તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેઓ દરેક આરોપનો જવાબ આપશે, પરંતુ SITનો અંતિમ રિપોર્ટ આવ્યા પછી જ તેઓ આવું કરશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આ મામલાનું આખું સત્ય ટૂંક સમયમાં સામે આવી જશે.

App Store

ગોપનીય રિપોર્ટ જાહેર થવા પર ઉઠાવ્યા સવાલ

'ચંપત રાયનો પત્ર રામભક્તોના નામે' શીર્ષક સાથે તેમણે આ પત્ર સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ સાથે તેમણે શ્રીરામચરિતમાનસની એક ચોપાઈ પણ લખી છે: "ધીરજ ધર્મ મિત્ર અરુ નારી, આપદ કાલ પરખિઅહિં ચારી" 

આ પત્રમાં ચંપત રાયે SIT ના પ્રાથમિક રિપોર્ટની વાતો લીક થવા પર પણ સવાલ ઉઠાવ્યા છે. તેમણે લખ્યું, "ગત 7 જૂન 2026થી શ્રી રામજન્મભૂમિ મંદિર પરિસરમાં દાનપાત્રની ગણતરી વખતે થયેલી ચોરી અંગે અનેક પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે. વ્યક્તિગત રીતે મારા પર પણ અનેક લોકોએ પાયાવિહોણા આરોપો લગાવ્યા છે, જેના કારણે મેં અત્યાર સુધી મૌન ધારણ કરી રાખ્યું હતું. 6 જુલાઈએ મળેલી ટ્રસ્ટની બેઠકમાં SITનો પ્રાથમિક રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો, જે હવે જાહેર થઈ ચૂક્યો છે, જોકે આ રિપોર્ટ અત્યંત ગોપનીય હતો."

"મારું જીવન ખુલ્લી કિતાબ જેવું છે"
તેમણે રામભક્તોને આશ્વાસન આપતા આગળ લખ્યું, "હું આપ સૌને ખાતરી આપું છું કે SITનો ફાઇનલ રિપોર્ટ આવ્યા પછી, સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમો દ્વારા ફેલાવવામાં આવી રહેલા તમામ મુદ્દાઓ પર ક્રમશઃ મારો જવાબ આપીશ અને સત્ય સામે આવી જશે. હું ઓક્ટોબર 1991થી સંગઠન દ્વારા અયોધ્યા મોકલવામાં આવ્યો હતો. મારું 45 વર્ષનું પ્રચારક જીવન, હું જ્યાં પણ રહ્યો છું ત્યાં એક ખુલ્લી કિતાબ જેવું રહ્યું છે. બધાને સાદર વંદન."  

ચંપત રાયનું રાજીનામું મંજૂર થયું હતું
ઉલ્લેખનીય છે કે રામ મંદિર દાન ચોરીના આ મામલાની શરૂઆતમાં જ્યારે સપા પ્રમુખ અખિલેશ યાદવે આરોપો લગાવ્યા હતા, ત્યારે ચંપત રાયે તેને નકારી કાઢ્યા હતા. જોકે, બાદમાં ટ્રસ્ટની માંગ પર જ ઉત્તર પ્રદેશ સરકારે આ મામલે SITની રચના કરી હતી. તાજેતરમાં જ SITએ પોતાનો પ્રાથમિક અહેવાલ યુપીના એડિશનલ ચીફ સેક્રેટરી (ગૃહ) સંજય પ્રસાદને સોંપ્યો હતો. સોમવારે એટલે કે 6 જુલાઈએ અયોધ્યામાં મળેલી શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટની બેઠકમાં ચંપત રાયનું રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું હતું અને આ જ બેઠકમાં SITનો પ્રાથમિક રિપોર્ટ પણ ટ્રસ્ટીઓ સામે રજૂ કરાયો હતો, જેની વિગતો હવે બહાર આવી ગઈ છે.