PM Kisan: સરકારે પીએમ કિસાનનો 21મો હપ્તો જાહેર કર્યો, આ 3 રાજ્યોના ખેડૂતોના ખાતામાં આવ્યા 2000-2000 રૂપિયા

PM Kisan: શુક્રવારે, કેન્દ્ર સરકારે ત્રણ રાજ્યોના તમામ પાત્ર ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો જાહેર કર્યો હતો. 26 સપ્ટેમ્બરના રોજ, કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે પીએમ કિસાન યોજના હેઠળ આવરી લેવામાં આવેલા પંજાબ, હિમાચલ પ્રદેશ અને હરિયાણાના ખેડૂતોના બેંક ખાતામાં પ્રત્યેકને 2,૦૦૦ રૂપિયા ટ્રાન્સફર કર્યા. આ ત્રણ રાજ્યોમાં તાજેતરના પૂર અને ભૂસ્ખલનને ધ્યાનમાં રાખીને, 21મો હપ્તો સમયપત્રક પહેલાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. એ નોંધવું જોઈએ કે સરકારે અગાઉ 2 ઓગસ્ટના રોજ પીએમ કિસાન યોજનાનો 20મો હપ્તો જારી કર્યો હતો.
27 લાખથી વધુ ખેડૂતોના ખાતામાં ટ્રાંસફર કરાયેલા 540 કરોડ રૂપિયા
ખેતી અને ખેડૂત મંત્રાલયના જણાવ્યા પ્રમાણે પંજાબ, હરિયાણા અને હિમાચલ પ્રદેશના 27 લાખથી વધુ ખેડૂતોને 540 કરોડ રૂપિયાથી વધુ રૂપિયા ટ્રાંસફર કરવામાં આવ્યા, જેમાં 2.7 લાખ મહિલા ખેડૂત પણ સામેલ છે. આ હપ્તો માત્ર હિમાચલ પ્રદેશ, પંજાબ અને ઉત્તરાખંડના ખેડૂતોના ખાતામાં ટ્રાંસફર કરાયા કારણ કે, આ રાજ્યોમાં હજી ભીષણ પૂર અને ભૂસ્ખલનની ઝપટે ચઢયા છે. ખેડૂતોના બેંક ખાતામાં પીએમ કિસાનનો 21મો હપ્તો રિલીઝ કર્યો છે. શિવરાજસિંહ ;ચૌહાણે જણાવ્યું કે, 2000 રૂપિયાથી ખેડૂતોને તાત્કાલિક ઘરેલું જરુરિયાને પૂર્ણ કરવા, આગામી લણણી માટે બીજ અને ખાતર ખરીદવા અને ફરી શરૂ કરવામાં મદદ મળશે.
વર્ષ-2019માં પીએમ કિસાન યોજના શરૂ થઈ
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં કેન્દ્રની સરકારે ફેબ્રુઆરી-2019માં પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો. આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોની આર્થિક મદદ કરવાની છે, જેથી ખેડૂતોનો ખર્ચ ઓછો થઈ શકે અને તેઓની કમાણીમાં વધારો થઈ શકે. પીએમ કિસાન યોજના હેઠળ અપાતા પૈસા સીધા ખેડૂતોના બેંકના ખાતામાં જમા કરી દેવામાં આવે છે. ભારત સરકારે આખઆમાં પાત્ર ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયાની આર્થિક મદદ કરે છે. ખેડૂતોને 6000 રૂપિયા પ્રત્યેક 4 મહિના પર 2000-2000 રૂપિયાના 3 હપ્તા તરીકે અપાય છે.

