VIDEO: ઓપરેશન સિંદૂર મજબૂરીમાં નહીં, પણ ભારતની શરતો પર રોકવામાં આવ્યું હતું; રાજનાથ સિંહે આપ્યું મહત્વનું નિવેદન
સોર્સ : GSTV
દિલ્હીમાં આયોજિત નેશનલ સિક્યોરિટી સમિટ 2 પોઈન્ટ ઝીરો દરમિયાન સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ઓપરેશન સિંદૂર અંગે ભારતની મજબૂત સૈન્ય શક્તિનો પરિચય આપતા મહત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આ ઓપરેશન દરમિયાન ભારતે તેના પર હુમલો કરનારાઓને સચોટ રીતે નિશાન બનાવ્યા હતા. સંરક્ષણ મંત્રીએ ભારપૂર્વક કહ્યું કે, ભારતે આ ઓપરેશન કોઈ મજબૂરીમાં કે ક્ષમતામાં ઘટાડો થવાને કારણે નહીં, પરંતુ પોતાની શરતો પર અને સ્વૈચ્છિક રીતે અટકાવ્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું કે ભારત કોઈપણ લાંબા યુદ્ધ માટે સંપૂર્ણ રીતે સજ્જ હતું અને આપણી પાસે સર્જ કેપેસિટી એટલે કે અચાનક જરૂરિયાતના સમયે સૈન્ય ક્ષમતાઓ વિસ્તારવાની પ્રબળ શક્તિ હતી અને આજે પણ છે. અત્યારે ભારતની આ સંરક્ષણ ક્ષમતા પહેલા કરતા પણ વધુ મજબૂત અને સક્ષમ છે.

