VIDEO: હરિદ્વારમાં મોરારી બાપુએ કર્યા માલધારીના વખાણ: સિંહણ સામે જીવ બચાવવાના સાહસની કથા વણી
સોર્સ : gstv
પ્રખ્યાત કથાકાર મોરારી બાપુએ હરિદ્વારની રામકથામાં ભાવનગરના પાલિતાણાના ગરાજીયા ગામે બનેલી એક અદભુત ઘટનાનો ઉલ્લેખ કર્યો છે. અહીં એક સિંહણે માલધારી યુવાનને પગની આંટી મારી ૩૦ મિનિટ સુધી જકડી રાખ્યો હતો, પરંતુ યુવાને અડગ ધીરજ રાખી સિંહણ પર હાથ ફેરવીને પોતાનો જીવ બચાવ્યો હતો. મોરારી બાપુએ માલધારીના આ અપ્રતિમ સાહસને ભગવાન કૃષ્ણના કાલિયા નાગ પરના વિજય સાથે સરખાવી સૌરાષ્ટ્રને "સિંહની ભૂમિ" તરીકે નવાજી છે. બાપુએ આ વાસ્તવિક ઘટનાના વર્ણન દ્વારા સૌરાષ્ટ્રના અતૂટ સાહસ, શૌર્ય અને દૈવી શક્તિ સમાન સાંસ્કૃતિક વારસાને વૈશ્વિક મંચ પર ઉજાગર કર્યો છે.

