કર્ણાટકમાં રાજકીય ખેંચતાણ વચ્ચે મુખ્યમંત્રી ડી કે શિવકુમારએ મોટો ધડાકો કર્યો છે. એમણે કહ્યું છે કે, ભાજપ અને જેડીએસના ઘણા નેતાઓ એમની અને કોંગ્રેસના બીજા નેતાઓ સાથે સંપર્કમાં છે. તેઓ કોંગ્રેસમાં આવવા માંગે છે. કોંગ્રેસ આ નેતાઓને પક્ષમાં લેવા તૈયાર છે. રાજકીય નીરિક્ષકો માની રહ્યા છે કે, કર્ણાટકમાં કોંગ્રેસ સત્તામાં હોવાથી સત્તા વગર રઘવાયા થયેલા બીજા પક્ષના નેતાઓ કોંગ્રેસ સાથે જોડાવા માંગે છે.
ડી કે શિવકુમારના કહેવા પ્રમાણે જિલ્લા પ્રભારી મંત્રીઓ અને જિલ્લા અધિકારીઓને આવા નેતાઓની યાદી તૈયાર કરવાની જવાબદારી આપવામાં આવી છે. એવા નેતાઓને પક્ષમાં લેવામાં આવશે કે જેઓ કોંગ્રેસ સાથે મળીને કામ કરવા તૈયાર હોય. નવી પેઢીના યુવાનો મોકો શોધી રહ્યા છે. દેશને બચાવવા માટે કોંગ્રેસ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.તેમણે જણાવ્યું હતું કે જિલ્લા પ્રભારી મંત્રીઓ અને પક્ષના હોદ્દેદારોને એવા નેતાઓની ઓળખ કરવા માટે કહેવામાં આવ્યું છે જેઓ કોંગ્રેસની વિચારધારા અને તેના ટોચના નેતૃત્વમાં વિશ્વાસ ધરાવે છે.
ભાજપ સાથેના ૧૦ વર્ષ બાદ રાજીનામું
રાજાજીનગર અને મહાલક્ષ્મી લેઆઉટના ભૂતપૂર્વ ધારાસભ્ય નરેન્દ્ર બાબુ લગભગ એક દાયકાથી ભાજપ સાથે જોડાયેલા હતા. સંગઠનમાં તેમના યોગદાન છતાં વરિષ્ઠ નેતાઓ દ્વારા તેમને યોગ્ય સન્માન ન મળવાનો આરોપ મૂકીને તેમણે રાજીનામું આપ્યું હતું. શિવકુમારે ટિપ્પણી કરી હતી કે રાજ્યના યુવાનો આશા શોધી રહ્યા છે અને ભારપૂર્વક કહ્યું હતું કે દેશને બચાવવાની વાત આવે ત્યારે કોંગ્રેસ પક્ષનો કોઈ વિકલ્પ નથી.કેન્દ્રની મોદી સરકારનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું, "ભાજપને છેલ્લા ૧૩ વર્ષથી તક આપવામાં આવી છે. મને લાગે છે કે હવે બહુ થયું."
ડીકેએ કુમારસ્વામીની મજાક ઉડાવી
નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારે કેન્દ્રીય મંત્રી અને કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યમંત્રી એચ.ડી. કુમારસ્વામી પર નિશાન સાધ્યું હતું. તેમણે આરોપ લગાવ્યો કે કુમારસ્વામી ૨૦૨૮ની વિધાનસભા ચૂંટણી પહેલા પોતાની સ્થિતિ મજબૂત કરવા માટે કર્ણાટક ભાજપના પ્રમુખ બી.વાય. વિજયેન્દ્ર અને વિરોધ પક્ષના નેતા આર. અશોકાને નબળા પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ડી.કે. શિવકુમારે વધુમાં ટિપ્પણી કરી, "અશોકા અને વિજયેન્દ્ર વચ્ચે ગમે તે વાત હોય, કુમારસ્વામી એ જોવાનો પ્રયાસ કરી રહ્યા છે કે શું તેઓ તે બંનેને નીચે પાડીને પોતાના માટે કંઈક મેળવી શકે છે." તેમણે દાવો કર્યો હતો કે કુમારસ્વામીના નિવેદનો અને "બોમ્બ ફોડવાની" [સનસનીખેજ ખુલાસો કરવાની] વારંવારની ધમકીઓ પાછળનું આ જ કારણ હતું.