Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Major accident near Maa Baglamukhi temple in Madhya Pradesh, 8 pilgrims killed as car plunges into rainwater

VIDEO: મધ્યપ્રદેશમાં મા બગલામુખી મંદિર પાસે મોટી દુર્ઘટના, વરસાદી પાણીમાં કાર તણાતા 8 શ્રદ્ધાળુઓના મોત

Timeછેલ્લું અપડેટ : 20 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મધ્ય પ્રદેશના આગર માલવા જિલ્લાના નલખેડામાં આવેલા પ્રસિદ્ધ મા બગલામુખી મંદિર પાસે એક મોટી દુર્ઘટના ઘટી છે. રાત્રે પડેલા ભારે વરસાદના કારણે પાણીમાં તણાઈ જવાથી કારમાં સવાર 8 શ્રદ્ધાળુઓના મોત થયા છે. કેટલાક શ્રદ્ધાળુઓ મા બગલામુખીના દર્શન કરવા માટે નલખેડા આવ્યા હતા. રાત્રે વિસ્તારમાં ભારે વરસાદ પડવાને કારણે મંદિર પાસે આવેલા વરસાદી નાળામાં પાણીનો પ્રવાહ અચાનક ખૂબ જ વધી ગયો હતો. આ દરમિયાન શ્રદ્ધાળુઓની કાર પાણીના તેજ પ્રવાહની ઝપેટમાં આવી ગઈ અને નાળામાં તણાઈ ગઈ. ઘટનાની જાણ થતાં જ આસપાસના વિસ્તારમાં ભારે હલચલ મચી ગઈ હતી. મૃતકોમાં 3 બાળકો, 2 મહિલાઓ અને 3 પુરુષોનો સમાવેશ થાય છે. ઘટનાની સૂચના મળતાની સાથે જ વહીવટી તંત્ર અને રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી.

App Store