VIDEO: મધ્યપ્રદેશમાં બસનું ટાયર ફાટતા આગ લાગી, કોઈ જાનહાનિ નહિ
સોર્સ : Gstv
મધ્યપ્રદેશના અર્જુન બરોડા બ્રિજ પાસે રીવાથી ઇન્દોર જતી ખાનગી પેસેન્જર બસનું પાછળનું ટાયર અચાનક ફાટી જતાં તેમાં આગ લાગી ગઈ હતી. બસમાં 26 મુસાફરો સવાર હતા. ક્ષિપ્રા પોલીસની ત્વરિત કાર્યવાહીને કારણે તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. કોઈ જાનહાનિ કે ઇજા થઈ નથી. ક્ષિપ્રા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ કૈલાશ સોલંકીએ જણાવ્યું કે ટાયર ફાટવાના જોરદાર અવાજ સાથે તરત જ આગ લાગી. પોલીસે મુસાફરો અને તેમનો સામાન તાત્કાલિક બહાર કાઢ્યો. ઇન્દોર અને સનવેરથી ફાયર ટેન્ડર બોલાવી આગ પર કાબુ મેળવવામાં આવ્યો, પરંતુ બસ સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગઈ.પ્રાથમિક તપાસમાં આ ઘટના આકસ્મિક હોવાનું જણાયું છે. પોલીસ તપાસ ચાલુ છે...

