VIDEO: 'કેરળ બિનસાંપ્રદાયિક રાજ્ય છે અને અમે તેને જાળવી રાખીશું', મુખ્યમંત્રી વી.ડી. સતીશનનું નિવેદન
સોર્સ : gstv
કેરળના મુખ્યમંત્રી વી.ડી. સતીશને રાજ્યની બિનસાંપ્રદાયિકતા અને તાજેતરના રાજકીય મુદ્દાઓ પર મહત્વનું નિવેદન આપતા જણાવ્યું છે કે, કેરળના લોકોએ ચૂંટણી પરિણામો દ્વારા સમગ્ર દેશને સંદેશ આપ્યો છે કે આ રાજ્ય બિનસાંપ્રદાયિક છે અને અમે તેને જાળવી રાખીશું. તેમણે ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે, ભાજપ હંમેશા નફરત ફેલાવવાનું કામ કરે છે જ્યારે કોંગ્રેસ બિનસાંપ્રદાયિકતા જાળવવાની વિચારધારા સાથે લડે છે.

