કેજરીવાલ પંજાબથી નહીં જાય રાજ્યસભા, AAPએ બિઝનેસમેન રાજિન્દર ગુપ્તાને બનાવ્યા ઉમેદવાર

આમ આદમી પાર્ટીએ પંજાબમાંથી રજ્યસભા પેટાચૂંટણી માટે પોતાના ઉમેદવારની જાહેરાત કરી છે. આરવિંદ કેજરીવાલને નહીં, પરંતુ ઉદ્યોગપતિ રાજિન્દર ગુપ્તાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. પંજાબમાંથી રાજ્યસભાની એકમાત્ર બેઠક માટે પેટાચૂંટણી 24 ઓક્ટોબરે યોજાશે. આમ આદમી પાર્ટીની રાજકીય બાબતોની સમિતિએ સર્વાનુમતે રાજિન્દર ગુપ્તાના નામને મંજૂરી આપી હતી. ગુપ્તા પંજાબ આયોજન બોર્ડના ઉપાધ્યક્ષ હતા, તેમણે એક દિવસ પહેલા જ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું.
રાજિન્દર ગુપ્તાને 2022માં પંજાબ પ્લાનિંગ બોર્ડમાં સામેલ કરવામાં આવ્યા હતા. સંજીવ અરોરા લુધિયાણા પશ્ચિમ પેટાચૂંટણી જીત્યા બાદ રાજ્યસભામાં પંજાબ ક્વોટા બેઠક ખાલી પડી હતી. જ્યારે તેમને લુધિયાણા પશ્ચિમથી ઉમેદવાર બનાવવામાં આવ્યા ત્યારે વિપક્ષે કહ્યું હતું કે અરવિંદ કેજરીવાલ પોતે રાજ્યસભામાં જશે. જોકે, ત્યારે પણ ક્જરીવાલે કહ્યું હતું કે તેઓ રાજ્યસભામાં નહીં જાય. નોંધનીય છે કે પંજાબમાંથી સાત રાજ્યસભા બેઠકો છે. બાકીની 6 બેઠકો આમ આદમી પાર્ટીના સાંસદો પાસે છે. હરભજન સિંહ, સંત બલબીર સિંહ, અશોક કુમાર મિત્તલ, સંદીપ પાઠક, વિક્રમજીત સિંહ સાહની પંજાબમાંથી રાજ્યસભા સાંસદ છે.
કોણ છે રાજેન્દ્ર ગુપ્તા?
ગુપ્તાએ એકાલી દળ દ્વારા રાજકારણમાં પ્રવેશ કર્યો. તેમણે અકાલી દળ અને ભાજપ સરકાર દરમિયાન અનેક મહત્ત્વપૂર્ણ હોદ્દા સંભાળ્યા છે. તેમના કંપની, ટ્રાઈડેન્ટનું વાર્ષિક ટર્નઓવર રૂ. 5,000 કરોડથી વધુ છે. કંપની કોટન પેપર, બોડશીટ અને ટુવાલ જેવા ઉત્પાદનો બનાવે છે.
એક સામાન્ય પરિવારમાં જન્મેલા રાજિન્દર પાસે કોઈ વ્યવસાયિક પૃષ્ઠભૂમિ નહોતી. નવમું ધોરણ પૂર્ણ કર્યા પછી, તેમણે એક ફેક્ટરીમાં નોકરી લીધી. ઘણા વર્ષોની નાની-મોટી નોકરીઓ પછી, 1985માં, તેમણે રૂ. 65 મિલિયન (US$ 1.5 મિલિયન) નું રોકાણ કરીને એક મોટું જોખમ લીધું અને "અભિષેક ઈન્ડસ્ટ્રીઝ" નામની ખાતર ફેક્ટરીની સ્થાપના કરી. આ કંપના પાછળથી ટ્રાઈડેન્ટમાં વિકસિત થઈ. ફોર્બ્સ અનુસાર, તેમની પાસે $ 1.3 બિલિયનનું મૂલ્ય છે. વધુમાં, તેમની કંપનીના ઉત્પાદનો 150 થી વધુ દેશોમાં નિકાસ કરવામાં આવે છે.

