VIDEO: કાવેરી વિવાદમાં કર્ણાટક સરકારનો નિર્ણય: ખેડૂતોને ધીરજ રાખવાની અપીલ
સોર્સ : gstv
કર્ણાટકના મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારે કાવેરી જળ વિવાદ અંગે સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે સરકાર અને તેઓ લોકો તથા ખેડૂતોના હિતોનું રક્ષણ કરવા પ્રતિબદ્ધ છે. રાજ્યમાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ છે અને અપેક્ષિત વરસાદના માત્ર ૩૦-૩૫ ટકા વરસાદ જ પડ્યો છે.CWRC અને કાવેરી જળ વ્યવસ્થાપન સત્તામંડળના નિર્દેશ મુજબ ૩,૫૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. કાબિનીમાં ૨૪ હજાર ક્યુસેક અને KRSમાં 22 હજાર ક્યુસેકનો પ્રવાહ આવી રહ્યો છે. ડેમની સલામતી માટે ગઈકાલે પાણી છોડવામાં આવ્યું. આ નિર્ણય સર્વપક્ષીય બેઠકમાં સર્વાનુમતે લેવાયો છે. ભાજપ નેતાઓએ પણ પરિસ્થિતિ સમજી છે. CMએ કન્નડ સંગઠનોને બંધ ન કરવાની અપીલ કરી છે

