Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Iran war and India's energy security: Government assures in all-party meeting - 'Adequate stock of oil and gas available'

ઈરાન યુદ્ધ અને ભારતની ઉર્જા સુરક્ષા: સર્વપક્ષીય બેઠકમાં સરકારે આપી ખાતરી - 'તેલ અને ગૅસનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ'

Timeછેલ્લું અપડેટ : 25 Mar 2026
લાઇવ ટીવીGoogle News
ઈરાન યુદ્ધ અને ભારતની ઉર્જા સુરક્ષા: સર્વપક્ષીય બેઠકમાં સરકારે આપી ખાતરી - 'તેલ અને ગૅસનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ'
સોર્સ : GSTV

Iran war : ઈરાન યુદ્ધને એક મહિનો પૂરો થવા જઈ રહ્યો છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી જહાજોની અવરજવર ખોરવાવાને કારણે તેલ અને ગૅસનું સંકટ દુનિયાભરમાં યથાવત છે. આ દરમિયાન સરકારે બુધવારે પશ્ચિમ એશિયામાં વધતા સંકટને લઈને સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. આ બેઠકમાં વિદેશ મંત્રી જયશંકરને ઈરાન યુદ્ધમાં પાકિસ્તાનની મધ્યસ્થતા અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો.

App Store

'આપણે દલાલ દેશ ન હોઈ શકીએ'
જયશંકરે ઈરાન યુદ્ધ ખતમ કરવા માટે અમેરિકા અને ઈરાન વચ્ચેની વાતચીતમાં પાકિસ્તાનની મધ્યસ્થતાના સવાલ પર સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, આપણે દલાલ દેશ ન હોઈ શકીએ. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ દરમિયાન જ્યારે વિદેશ મંત્રી જયશંકરને પૂછવામાં આવ્યું કે PM મોદીએ ટ્રમ્પ સાથે શું વાત કરી, તો તેના પર જયશંકરે કહ્યું કે PM મોદીએ કહ્યું છે કે આ યુદ્ધ ખતમ થવું જોઈએ કારણ કે તેનાથી દરેકને નુકસાન થઈ રહ્યું છે.

લગભગ દોઢ કલાક સુધી ચાલી બેઠક
આ પહેલા કેન્દ્ર સરકારે સર્વપક્ષીય બેઠકમાં તમામ રાજકીય પક્ષોને ખાતરી આપી હતી કે દેશની ઉર્જા સુરક્ષા સંપૂર્ણપણે સુરક્ષિત છે અને વધારાનો પુરવઠો રસ્તામાં છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ પર બોલાવવામાં આવેલી આ સર્વપક્ષીય બેઠક લગભગ દોઢ કલાક સુધી ચાલી હતી.

સરકારે વિપક્ષને આપી ખાતરી
સૂત્રોના જણાવ્યા અનુસાર સરકારે કહ્યું કે દેશમાં પૂરતા પ્રમાણમાં તેલ અને ગેસ ઉપલબ્ધ છે. દેશની ઉર્જા જરૂરિયાતો પૂર્ણપણે સંતોષવામાં આવી રહી છે. સરકારે એમ પણ જણાવ્યું કે એડવાન્સ બુકિંગ પહેલેથી જ કરી લેવામાં આવ્યું છે. અનેક દેશો સાથે વાતચીત પણ ચાલી રહી છે. તેલ અને ગેસના સપ્લાયમાં કોઈપણ પ્રકારના અવરોધને ટાળવા માટે વિવિધ સ્ત્રોતો સાથે વાતચીત કરવામાં આવી રહી છે.

પૂરતો સ્ટોક ઉપલબ્ધ
LPGની ઉપલબ્ધતા અને હોર્મુઝ દ્વારા થતા સપ્લાય અંગે વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવેલી ચિંતા પર સરકારે કહ્યું કે સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે અને આગામી ચાર-પાંચ દિવસમાં ચાર જહાજો બંદરો પર પહોંચવાના છે. સરકારે એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે કોઈ અછત નથી અને પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે.

'ભારતના લોકોનું ધ્યાન રાખવું સૌથી મહત્વનું'
સંરત્રણ મંત્રી રાજનાથ સિંહે ચર્ચાની શરૂઆત કરતા ભાર મૂક્યો હતો કે ભારતના લોકોનું ધ્યાન રાખવું સૌથી મહત્વનું છે. વિદેશ સચિવે વર્તમાન સંઘર્ષ અને ઉર્જા સુરક્ષા સંબંધિત મુદ્દાઓ સહિત ભૌગોલિક રાજકીય સ્થિતિની વિગતવાર માહિતી આપી હતી. એમ પણ કહેવામાં આવ્યું કે સરકાર દુનિયામાં બદલાતી ભૂ-રાજનૈતિક સ્થિતિ પર સંપૂર્ણ નજર રાખી રહી છે અને કોઈ દબાણમાં નથી. ચિંતા કરવાની કોઈ જરૂર નથી અને ગભરાવાની જરૂર નથી. તમામ પાર્ટીઓને સાથે લઈને ચાલવાનો પ્રયાસ કરી રહી છે અને વિપક્ષ ગમે ત્યારે સરકાર સાથે વાતચીત કરી શકે છે.

વિપક્ષે ઉઠાવ્યા સવાલ
સૂત્રો મુજબ સરકારનો સંદેશ એ જ હતો કે સ્થિતિ નિયંત્રણમાં છે અને ઘરેલું ચિંતાઓને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવશે. પાકિસ્તાન અંગે સરકારે કહ્યું કે તેની ભૂમિકામાં કંઈ નવું નથી, કારણ કે તે 1981થી આ પ્રકારની ભૂમિકા ભજવી રહ્યું છે, જેમાં 'ઈન્ટરેસ્ટ સેક્શન્સ' દ્વારા સામેલ થવાનો પણ સમાવેશ થાય છે. સૂત્રોએ એ પણ જણાવ્યું કે બેઠકમાં મહિલા અનામત બિલ પર કોઈ ચર્ચા થઈ નથી.

યુદ્ધ શરૂ કેમ કરવામાં આવ્યું?
વિપક્ષી નેતાઓએ એવો પણ સવાલ ઉઠાવ્યો હતો કે અમેરિકા અને ઈઝરાયલે ઈરાન પર હુમલો કેમ કર્યો? તેના જવાબમાં વિદેશ સચિવે કથિત રીતે કહ્યું કે ઈરાને પરમાણુ પરીક્ષણ ન કરવાની ખાતરી આપી હતી, પરંતુ તે તે દિશામાં આગળ વધતું જણાતું હતું, જેના કારણે આ હુમલા થયા હતા

બેઠકમાં કોણ કોણ હતું હાજર?
આ બેઠક બુધવારે રક્ષામંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં સંસદ ભવનમાં યોજાઈ હતી, જેમાં અમિત શાહ, સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુ, નાણામંત્રી નિર્મલા સીતારમણ, પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરી અને વિદેશ સચિવ વિક્રમ મિસરી સામેલ થયા હતા. બીજી તરફ BJD તરફથી સસ્મિત પાત્રા, JDU તરફથી લલ્લન સિંહ, કોંગ્રેસ નેતા મુકુલ વાસનિક અને તારિક અનવર, સમાજવાદી પાર્ટી તરફથી ધર્મેન્દ્ર યાદવ અને CPI(M) સાંસદ જોન બ્રિટસ હાજર રહ્યા હતા.મમતા બનર્જીની પાર્ટી TMC આ બેઠકથી દૂર રહી હતી.