VIDEO: ભારતીય વાયુયન અધિનિયમ, ૨૦૨૪ના નિયમો ત્રણ અઠવાડિયામાં ઘડાશે: કેન્દ્રનો સુપ્રીમમાં ખુલાસો
સોર્સ : gstv
કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે ભારતના ઉડ્ડયન ક્ષેત્રને આધુનિક બનાવવા માટે ભારતીય વાયુયન અધિનિયમ, ૨૦૨૪ હેઠળ નિયમો ઘડવાની પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવી છે અને આગામી ત્રણ અઠવાડિયામાં તેને આખરી સ્વરૂપ આપવામાં આવશે…ન્યાયાધીશ વિક્રમ નાથ અને સંદીપ મહેતાની બેન્ચ સમક્ષ સીલબંધ કવરમાં ડ્રાફ્ટ નિયમો રજૂ કરાયા હતા. કોર્ટે એરલાઇન્સ દ્વારા નિયમોનું પાલન ન થાય તો કડક પગલાં લેવા તાકીદ કરી છે. આ મામલો નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં પારદર્શિતા, મુસાફરોની સુરક્ષા અને હવાઈ ભાડાની અનિયંત્રિત વધઘટને રોકવા માટે દાખલ કરાયેલી અરજીની સુનાવણી દરમિયાન સામે આવ્યો છે.

