Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : India can lead the world in AI, says Macron during meeting with PM Modi

ભારત AI ક્ષેત્રે સમગ્ર વિશ્વમાં સૌથી આગળ નીકળી શકે છે, PM મોદી સાથે મુલાકાત દરમિયાન મેક્રોનનું નિવેદન

Timeછેલ્લું અપડેટ : 14 Jun 2026
લાઇવ ટીવીGoogle News
ભારત AI ક્ષેત્રે સમગ્ર વિશ્વમાં સૌથી આગળ નીકળી શકે છે, PM મોદી સાથે મુલાકાત દરમિયાન મેક્રોનનું નિવેદન
સોર્સ : Google

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં ફ્રાન્સ અને સ્લોવાકિયાની યાત્રા પર છે, જ્યાં G-7 શિખર સંમેલન પહેલાં તેમણે ફ્રાન્સના નીસ શહેરમાં રાષ્ટ્રપ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોન સાથે મુલાકાત કરી હતી. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભારે તણાવ વચ્ચે યોજાયેલી આ બેઠકમાં બંને નેતાઓએ સંયુક્ત રીતે 'ભારત ઈનોવેટ્સ' કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રપ્રમુખ મેક્રોને પીએમ મોદીની જોરદાર પ્રશંસા કરતા જણાવ્યું હતું કે ભારત AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ)ના ક્ષેત્રમાં સમગ્ર વિશ્વમાં સૌથી આગળ નીકળી શકે છે.

App Store

મેક્રોને ભારતની ટેકનોલોજી ક્ષમતાની પ્રશંસા કરી

નીસમાં આયોજિત આ વિશેષ કાર્યક્રમમાં ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોને ભારતની ટેકનોલોજી ક્ષમતાની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે હવે સવાલ એ નથી કે ભારત ઈનોવેશન કરી રહ્યું છે કે નહીં, પરંતુ સવાલ એ છે કે ભારતની ભાગીદારી સાથે કોણ ઈનોવેશન કરશે. આ વર્ષે ફેબ્રુઆરીમાં મુંબઈ ખાતે શરૂ થયેલા 'ભારત-ફ્રાન્સ ઈનોવેશન વર્ષ'ના સંદર્ભમાં આ કાર્યક્રમ બંને દેશોના ભવિષ્યના સંબંધો માટે મહત્વનો સાબિત થશે.

ભારત-ફ્રાન્સ સંબંધો પર પીએમ મોદીનું સંબોધન

કાર્યક્રમને સંબોધિત કરતા પીએમ મોદીએ જણાવ્યું કે, દુનિયાના દેશો માત્ર વેપાર કે વહિવટી ભાગીદારી કરે છે, પરંતુ ભારત અને ફ્રાન્સના સંબંધો એક સમાન વિઝન અને અતૂટ વિશ્વાસથી જોડાયેલા છે. આ સંબંધો પરસ્પર હિતોથી પણ ઉપર છે. બંને દેશોએ સાથે મળીને ઈન્ટરનેશનલ સોલર એલાયન્સ અને AI સંવાદ જેવા મંચ પર માનવતા સામેના વૈશ્વિક પડકારોનો ઉકેલ લાવવાનો પૂરો પ્રયાસ કર્યો છે.

પીએમ મોદીના નેતૃત્વના ફ્રાન્સમાં વખાણ

રાષ્ટ્રપ્રમુખ મેક્રોને પીએમ મોદીને ફ્રાન્સની મુલાકાત બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ઉલ્લેખ કર્યો કે પીએમ મોદી આઝાદી પછી ભારતમાં સૌથી લાંબો સમય સેવા આપનારા વડાપ્રધાન બન્યા છે. મેક્રોનના મતે, પીએમ મોદીની આ લાંબી રાજકીય સફર તેમના મક્કમ ઈરાદા અને ભારત દેશની મજબૂતીને દર્શાવે છે, જે વૈશ્વિક સ્તરે ખરેખર પ્રશંસનીય છે.