VIDEO: અલ્હાબાદ હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો: નિયમિતકરણનો અધિકાર વારસદારોને મળશે
સોર્સ : gstv
અલ્હાબાદ હાઈકોર્ટે જણાવ્યું છે કે જો કર્મચારીના નિયમિતકરણની પ્રક્રિયા તેમના જીવનકાળમાં શરૂ થઈ હોય, તો મૃત્યુ પછી પણ આ અધિકાર કાનૂની વારસદારોને મળે છે. ન્યાયાધીશ ઇન્દ્રજીત શુક્લાએ મૃત કર્મચારીના પુત્રની અરજી પર આ ચુકાદો આપ્યો અને ₹૫૦,૦૦૦ ખર્ચ પણ ફરમાવ્યો. મૃતક ગ્રામીણ ઇજનેરી વિભાગમાં જુનિયર સહાયક તરીકે કામ કરતા હતા. ૨૦૧૨માં નિયમિતકરણ પ્રક્રિયા ચાલતી હતી, પરંતુ તેમનું ૧૧ ઓગસ્ટે અવસાન થયું. પ્રક્રિયા ૨૦૧૩માં પૂર્ણ થઈ અને અન્ય કર્મચારીઓને નિયમિત કરાયા હતા.

