VIDEO: જો લોકો પોતાની જાતને વંદા તરીકે ઓળખાવે, આપણે કહીએ કે ગટર તેમનું ઘર છે તો ખોટું શું છે?: કંગના રનૌત
સોર્સ : gstv
અભિનેત્રી અને ભાજપ સાંસદ કંગના રનૌતે વિદ્યાર્થીઓ અંગે કરેલી કમેન્ટથી વિવાદ થયો હતો. બાદમાં વડાપ્રધાનના વીડિયો બાદ યુવાઓના વખાણ પણ કર્યાં. હવે ફરીથી કંગનાએ કોકરોચ વાળા નિવેદન પર સ્પષ્ટીકરણ આપ્યું છે. કંગના રનૌતે જણાવ્યું કે, જે લોકો પોતાને કોકરોચ કહે છે, અને આપણે કહીએ છીએ કે વંદા ગટરમાંથી બહાર નીકળે છે તો તેમાં ખોટું શું છે? કહ્યું કે, જો લોકો પોતાની જાતને વંદા તરીકે ઓળખાવે અને આપણે કહીએ કે ગટર તેમનું ઘર છે તો તેમણે કેમ માઠું લાગવું જોઈએ? હું ચોક્કસપણે મારી જાતને વંદો ગણતી નથી. જો કોઈ એમ કહે કે હું ગટરમાં રહું છું તો હું તેનો ઇનકાર કરીશ. પરંતુ જો કોઈ દાવો કરે કે તે વંદો છે તો સ્વાભાવિક છે કે તે ગટરમાં જ રહેશે. બીજે ક્યાં?

