Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Gorakhpur: Yogi Adityanath's Triranga Yatra, grand preparations started

VIDEO: ગોરખપુર: યોગી આદિત્યનાથની તિરંગા યાત્રા, ભવ્ય તૈયારીઓ શરૂ કરાઈ

Timeછેલ્લું અપડેટ : 10 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે 'હર ઘર તિરંગા' અભિયાન અંતર્ગત મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વમાં યોજાનારી ભવ્ય તિરંગા યાત્રાને લઈને તૈયારીઓ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ આયોજનને સફળ બનાવવા માટે જિલ્લા કલેક્ટર અને ઉચ્ચ પોલીસ અધિકારીઓએ યાત્રાના સમગ્ર રૂટનું નિરીક્ષણ કર્યું છે. આ તિરંગા યાત્રા નગર નિગમ પરિસરમાં આવેલી રાણી લક્ષ્મીબાઈની પ્રતિમાથી શરૂ થઈને મુખ્ય માર્ગો પરથી પસાર થઈ રેલવે સ્ટેશન પહોંચશે, જ્યાં મહારાણા પ્રતાપની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ મુખ્યમંત્રી જનસભાને સંબોધિત કરશે. યાત્રા માર્ગ પર ૧૬થી વધુ સ્થળોએ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. સમગ્ર શહેરમાં દેશભક્તિનો માહોલ સર્જાયો છે અને રસ્તાઓની સફાઈ, સુશોભન, ટ્રાફિક વ્યવસ્થા તેમજ સુરક્ષા માટે પોલીસ બંદોબસ્ત કડક કરી દેવાયો છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News