NEET આંદોલનની મોટી જીત! ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર સોનમ વાંગચુકે કહ્યું- 'આ જનતાના અવાજનો વિજય છે'

દેશભરમાં NEET-UG પરીક્ષા સંબંધિત વિવાદો અને વિદ્યાર્થીઓના વ્યાપક વિરોધ પ્રદર્શન વચ્ચે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. આ મહત્ત્વપૂર્ણ રાજકીય ઘટનાક્રમ પર જાણીતા સામાજિક કાર્યકર્તા અને અનશન કરનાર સોનમ વાંગચુકની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે આ નિર્ણયને ભારતીય લોકશાહી અને જનતાના અવાજની બહુ મોટી સફળતા ગણાવી છે.
પ્રત્યક્ષ લોકશાહી અને અહિંસક લડતનો વિજય
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોતાના વિચારો રજૂ કરતા સોનમ વાંગચુક જણાવ્યુ હતું કે, ‘આ જીત સીધી રીતે શેરીઓમાંથી ઊભી થયેલી પ્રત્યક્ષ લોકશાહીની તાકાત દર્શાવે છે. આ દેશના યુવાનો અને નાગરિકોના અવિરત સંઘર્ષ, અહિંસક વિરોધ અને અનંત ધીરજનું પરિણામ છે. લોકશાહી શાસનવ્યવસ્થામાં જનતાનો અવાજ સર્વોપરી છે અને જ્યારે લોકો એકજૂથ થઈને શાંતિપૂર્ણ માર્ગે પોતાની ન્યાયી માંગણીઓ રજૂ કરે છે, ત્યારે સરકારે પણ ઝુકવું પડે છે.’
પોતાના સંદેશામાં વાંગચુક ખાસ કરીને CJP (કોકરોચ જનતા પાર્ટી)ના કાર્યકરો તેમજ દેશના Gen Z અર્થાત યુવા વિદ્યાર્થીઓની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે, ‘આ યુવાનોએ કોઈ પણ ડર વગર શિક્ષણ પ્રણાલીમાં સુધારા અને પોતાના અધિકારો માટે સતત અવાજ ઉઠાવ્યો છે. તેની સાથે જ તેમણે દેશના એ તમામ જાગૃત નાગરિકોનો પણ આભાર માન્યો હતો જેમણે આ આંદોલનને પોતાનો અપ્રત્યક્ષ કે પ્રત્યક્ષ ટેકો આપ્યો હતો.’

